કાનપુરની એક મહિલાએ સામાજિક એકતા માટે અનોખી પહેલ કરી છે તેણે હિન્દૂ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણનું ઉર્દૂમાં અનુવાદ કર્યું છે. જેનો ઉદ્દેશ ભાષાના બંધન તોડીને વધુ લોકો સુધી રામાયણનું જ્ઞાન પહોંચાડવાનો છે. એટલે કે રામાયણનું ભાષાંતર બે સમાજ વચ્ચેનું અંતર ઘટાડશે.
શબ્દો ભાષા અને સાહિત્યના સહારે સમાજને એક તાંતણે બાંધવાનો પ્રયાસ આ મહિલાએ કર્યો છે. કાનપુરની આ મહિલાનું નામ છે માહે તિલત સિદ્દીકી. હિન્દી સંસ્કૃત અને ઉર્દૂ ભાષા પર તેમની સારી પકડ છે.
એટલે શબ્દોના માધ્યમથી લોકો એકબીજાની ધાર્મિક નીતિ સમજે તે માટે એક સરાહનિય પહેલ માહે તિલત સિદ્દીકીએ કરી અને તેમણે હિન્દૂ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણનું ઉર્દૂ ભાષામાં અનુવાદ કર્યું.
માહે તિલત સિદ્દીકી આ પહેલા પણ સાત જેટલા પુસ્તકો લખી ચુક્યા છે. છતાં તેમને રામાયણનું અનુવાદ કરતા દોઢ વર્ષ જેટલો સમય લાગી ગયો હતો.
આજના સમયમાં ક્યારેક ખોટા રાષ્ટ્રવાદના નામે તો ક્યારેક રાજકીય લાભ ખાતર સમાજમાં વિખવાદ પેદા થતા હોય છે. ત્યારે રામાયણ જેવા ધાર્મિક ગ્રંથનું અન્ય ભાષામાં અનુવાદના કારણે ધાર્મિક સદભાવ વધી શકે તેમ છે.