બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Dhruv
Last Updated: 08:26 AM, 19 April 2022
ઈન્ડોનેશિયામાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા એટલાં જોરદાર હતા કે એવું કહેવાઇ રહ્યું છે કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની 6.0 ની તીવ્રતા નોંધાઇ હતી. એવું કહેવાઇ રહ્યું છે કે, ભૂકંપના આંચકા સવારના 6.53 કલાકે અનુભવાયા હતા. NCSએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર સુલાવેસીથી 779 કિમી દૂર હતું.
An earthquake of magnitude 6.0 occurred at around 6:53am, 779 km NNE of Kotamobagu, Sulawesi, Indonesia today: National Center for Seismology
— ANI (@ANI) April 19, 2022
ભૂકંપ દરમ્યાન લોકો ઘરોમાં સૂઈ રહ્યાં હતા, હજુ સુધી કોઇ જાનહાનિના અહેવાલ નથી
એજન્સીના જણાવ્યાં અનુસાર, ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના નુકસાન અંગેની હજુ સુધી કોઈ જ માહિતી સામે આવી નથી. જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે લોકો ઘરોમાં સૂઈ રહ્યાં હતા, પરંતુ ધરતી ધ્રુજતાની સાથે જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ગભરાયેલા લોકો તેમના સગા-સંબંધીઓની સારસંભાળ લેતા જોવા મળ્યા હતા.
ગયા મહિને તાઈવાનની રાજધાનીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
આ સાથે ગયા મહિને તાઈવાનની રાજધાની તાઈપેમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી અનુસાર, રાજધાની તાઈપેમાં દક્ષિણમાં અંદાજે 182 કિલોમીટર ધરતી ધ્રુજી ગઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 ટકા નોંધાઈ હતી.
બીજી બાજુ જાપાનની રાજધાની ટોકિયો નજીક આવેલા ભૂકંપથી પણ ઘણી તબાહી મચી ગઈ હતી. ભૂકંપના કારણે બે લોકોના મોત થયા હતાં જ્યારે 88 લોકો ઘાયલ થયા હતાં. ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ત્યાં એક બુલેટ ટ્રેન પણ પાટા પરથી ઉતરી ગઈ હતી. જાપાનના હવામાન વિભાગે સુનામીની ચેતવણી જાહેર કરી હતી.
ભૂકંપ આવે તો શું કરવું?
ભૂકંપ કેમ આવે છે ?
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime