બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / indigo co founder rakesh gangwal gifted 100cr to iit kanpur
Dhruv
Last Updated: 02:45 PM, 5 April 2022
ઈન્ડિગોના કો-ફાઉન્ડરે આપ્યા રૂપિયા 100 કરોડ
એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પોતાની શૈક્ષણિક સંસ્થાને એટલી મોટી રકમ દાનમાં આપી છે કે જેને સાંભળીને કોઈ પણ વ્યક્તિ ચોંકી જશે. આ રકમ એક-બે કરોડ નહીં પરંતુ 100 કરોડ રૂપિયા છે
ઈન્ડિગો એરલાઈનના કો-ફાઉન્ડર અને અબજોપતિ બિઝનેસમેન રાકેશ ગંગવાલ (Rakesh Gangwal) એ આ રકમ IIT-કાનપુરને આપી છે. આ પૈસાનો ઉપયોગ કેમ્પસમાં 500 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે પણ કરવામાં આવશે.
Here is big news from @IITKanpur
— Abhay Karandikar (@karandi65) April 4, 2022
In an extraordinary gesture, our alumnus Mr Rakesh Gangwal, Co-Founder of IndiGo airlines has made one of the largest personal donations with a 100 crore contribution focused on supporting the School of Medical Sciences & Technology at IIT Kanpur
સંસ્થાના ઈતિહાસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલી આ સૌથી મોટી નાણાકીય સહાય છે. આ પૈસા સ્કૂલ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વિકાસમાં મદદ કરવા માટે આપવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂપિયા 600 કરોડનો ખર્ચ કરાશે. જેમાંથી અત્યાર સુધીમાં 350 કરોડ રૂપિયા એકત્ર કરાયા છે. IIT નાં ડાયરેક્ટર પ્રો. અભય કરંદીકરે જણાવ્યું હતું કે, રાકેશ ગંગવાલ તરફથી નાણાકીય મદદ એમઓયુ સંસ્થામાં સ્થપાઈ રહેલી મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની શાળાને વધુ સુધારવામાં મદદ કરશે તેમજ સંશોધન કાર્યને વધારે પ્રોત્સાહન આપશે. તમને જણાવી દઈએ કે, સોમવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં IIT-કાનપુર અને રાકેશ ગંગવાલ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં.
IIT માંથી કર્યું છે મિકેનિકલ એન્જિનિયરિંગ
રાકેશ ગંગવાલ કોલકાતાના રહેવાસી છે અને તેઓએ 1975માં IIT કાનપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હતું. તેઓ 1980માં એરલાઇન ઉદ્યોગમાં જોડાયા અને પછીથી તેઓ ઇન્ડિગોના સહ-સ્થાપક બન્યાં. તમને જણાવી દઈએ કે, આ પહેલાં ફ્લિપકાર્ટના બિન્ની બંસલ પણ IIT-દિલ્હીને 100 કરોડ રૂપિયા દાન કરી ચૂક્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime