બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કન્ફર્મ ટિકિટ છતાં સીટ નથી તો હવે રેલવે 20,000 વળતર ચૂકવશે, જાણો તમારા અધિકારો

કામની વાત / કન્ફર્મ ટિકિટ છતાં સીટ નથી તો હવે રેલવે 20,000 વળતર ચૂકવશે, જાણો તમારા અધિકારો

Published By: Bijal Vyas

Last Updated: 04:37 PM, 2 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા યાત્રીઓના અધિકારોને લઇ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં બિહારની એક ગ્રાહક અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો...

ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા યાત્રીઓના અધિકારોને લઇ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં બિહારની એક ગ્રાહક અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો, જેમાં રેલવેને ચાર મુસાફરોને વ્યાજ સાથે ટિકિટ ભાડું પરત કરવાનું અને તેને વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યું. કોર્ટે આ આદેશ એટલા માટે આપ્યો કારણ કે, કન્ફર્મ ટિકિટ હોવા છતાં, મુસાફરોને તેમની સીટ મળી ન હતી.

આખરે શું છે મામલો ?

ઉત્તર પ્રદેશના વિંધ્યાચલથી બિહારના આરા સુધી મુસાફરી કરી રહેલા ચાર મુસાફરોએ LTT-પટણા એક્સપ્રેસમાં કન્ફર્મ ટિકિટ બુક કરાવી હતી. ચારેય મુસાફરો ટ્રેનમાં ચઢતાની સાથે જ તેમને ખબર પડી કે રેલવે કર્મચારીઓ તેમની સીટો પર કબજો જમાવી રહ્યા છે. આ સાથે યાત્રીઓ દ્વારા સીટો ખાલી કરવા માટે વારંવાર વિનંતી કરવા છતાં મુસાફરોને તેમની યોગ્ય જગ્યા ફાળવવામાં આવી ન હતી.

Train-Ticket

ગુસ્સે ભરાયેલા મુસાફરોએ રેલ્વે હેલ્પલાઇન, 'રેલ્વે સેવા' અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ફરિયાદો નોંધાવી હતી. જોકે, સમગ્ર મુસાફરી દરમિયાન કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. સાથે જ સૌથી ચોંકાવનારી વાત એ હતી કે બક્સર સ્ટેશન પર ટીટીઈએ પણ - ભીડનો હવાલો આપીને તેમને આખી મુસાફરી ઉભા રહીને પૂર્ણ કરવાની સૂચના આપી હતી.

અદાલતનો નિર્ણય અને વળતર

ગ્રાહક આયોગે જણાવ્યું હતું કે, રેલ્વે તેની વચનબદ્ધ સેવાઓ પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, જેના કારણે મુસાફરોને માત્ર માનસિક તકલીફ જ નહીં પરંતુ શારીરિક અને નાણાકીય મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ કોર્ટે રેલ્વેને 60 દિવસની અંદર ચુકવણી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં તેમને માનસિક અને શારીરિક તકલીફ માટે વળતર તરીકે 20,000 રુપિયા અને કાનૂની ખર્ચ માટે 15,000 રુપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચોઃ Insta યુઝર્સ એલર્ટ! હેકર્સથી બચીને રહેજો, Meta AIનો થઇ રહ્યો છે મિસયુઝ

તેવી સ્થિતિમા શું કરી શકે યાત્રી?

જો તમારી પાસે કન્ફર્મ ટિકિટ હોય અને કોઈ તમારી સીટ પર કબજો કરી લે, તો તમે તરત જ 'રેલ મદદ' એપ, ઓફિશિયલ રેલ્વે વેબસાઇટ અથવા હેલ્પલાઇન નંબર દ્વારા ફરિયાદ નોંધાવી શકો છો. જો આ ચેનલો દ્વારા તમારી ફરિયાદનું નિરાકરણ ન આવે, તો તમે ફરિયાદ નોંધાવવા અને તમારા અધિકારો દાવો કરવા માટે ગ્રાહક અદાલતનો પણ સંપર્ક કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

indian railway shocking incident confirm seat ticket Indian railways compensation

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ