બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / હાજી અલી હાદસા વચ્ચે ઇન્ડીયન નેવીએ બે LPG જહાજોને સુરક્ષિત એસ્કોર્ટ કર્યા

નેશનલ / હાજી અલી હાદસા વચ્ચે ઇન્ડીયન નેવીએ બે LPG જહાજોને સુરક્ષિત એસ્કોર્ટ કર્યા

Nirav Kumar

Last Updated: 10:25 PM, 14 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ ભારતીય જહાજ 'હાજી અલી' પર હુમલો થતા તે ડૂબી ગયું હતું. એવામાં ઇન્ડીયન નેવીએ છેલ્લા બે દિવસમાં હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને બે જહાજોને સુરક્ષિત રીતે એસ્કોર્ટ કર્યા છે.

ઇન્ડીયન નેવીએ છેલ્લા બે દિવસમાં હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને બે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) જહાજોને સુરક્ષિત રીતે એસ્કોર્ટ કર્યા છે. માર્શલ આઇલેન્ડ્સ-ધ્વજવાળા LPG જહાજ 'SYMI' 13 મેના રોજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું હતું અને 16 મે સુધીમાં ગુજરાતના કંડલા બંદરે પહોંચવાની શક્યતા છે. આ જહાજ 19,965 મેટ્રિક ટન LPGથી ભરેલું છે.

આ દરમિયાન બીજું LPG જહાજ - વિયેતનામ-ધ્વજવાળું 'સનશાઇન' - 14 મેના રોજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું હતું અને 18 મે સુધીમાં ભારતના ન્યૂ મેંગલોર બંદરે પહોંચવાની શક્યતા છે. આ જહાજ ભારતમાં 46,487 મેટ્રિક ટન LPGનું પરિવહન કરી રહ્યું છે.

પોર્ટ અને શિપિંગ મંત્રાલયના અધિકારી મુકેશ મંગલના જણાવ્યા અનુસાર, "અત્યાર સુધીમાં કુલ 13 તેલ અને ગેસ વહન કરતા જહાજો હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે, જેમાં 12 LPG જહાજો અને એક ક્રૂડ ઓઇલ ટેન્કરનો સમાવેશ થાય છે. છેલ્લા બે દિવસમાં સ્ટ્રેટ પાર કરનારા બંને LPG જહાજો વિદેશી ધ્વજવાળા છે પરંતુ તેમનો કાર્ગો ભારત જવાનો છે."

VTV DIGITAL

ભારતીય જહાજ 'હાજી અલી' પર થયેલા હુમલા અંગે મુકેશ મંગલે જણાવ્યું હતું કે, આ ઘટના ઓમાનના દરિયાઈ ક્ષેત્રમાં બની હતી. આ જહાજમાં સવાર ક્રૂ સભ્યોને સુરક્ષિત સ્થળોએ સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં ભારત પરત મોકલવામાં આવશે. ગુજરાતથી ગયેલું આ કાર્ગો જહાજ બુધવારે ઓમાનના દરિયાકાંઠે શંકાસ્પદ ડ્રોન હુમલા બાદ સમુદ્રમાં ડૂબી ગયું હતું. તેમાં 14 ભારતીય ક્રૂ સભ્યો હતા જે બધાને ઓમાની અધિકારીઓએ બચાવી લીધા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર પર નોંધાયેલ આ જહાજ સોમાલિયાથી શારજાહ જઈ રહ્યું હતું અને પશુધન લઈ જઈ રહ્યું હતું. યુદ્ધ શરુ થયા બાદ ઇન્ડીયન નેવી તેના જહાજોને સુરક્ષા પૂરી પાડી રહ્યું છે

આ પહેલા, 11 અન્ય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ ચૂક્યા છે. ઇન્ડીયન નેવીએ તેમાંથી દરેકને વ્યક્તિગત રીતે મદદ કરી છે.ઇન્ડીયન નેવીએ માત્ર સ્ટ્રેટ દ્વારા આ જહાજોના પરિવહનને સરળ બનાવી રહ્યું નથી પરંતુ સંઘર્ષ શરૂ થયા બાદ તેમની સાથે સતત સંપર્કમાં પણ રહ્યું છે. ભારતીય ધ્વજવાળા જહાજોની સલામતી સુનિશ્ચિત કરવા અને નવા સ્થાપિત સુરક્ષિત દરિયાઈ કોરિડોર દ્વારા સ્ટ્રેટ દ્વારા તેમને માર્ગદર્શન આપવા માટે નેવી દરેક શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે.

કોન્ફ્લીક્ટ શરુ થયા બાદ ઇન્ડીયન નેવીએ ભારતીય જહાજોની સુરક્ષા માટે પર્સિયન ગલ્ફમાં એડીશનલ ટાસ્ક ફોર્સ પણ તૈનાત કરી છે. પણ ઇન્ડીયન નેવી સીધા પર્સિયન ગલ્ફમાં પ્રવેશ કરી રહ્યું નથી, તે ભારતીય જહાજોની સલામતી સુનિશ્ચિત કરવા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા તેમના પરિવહનને સરળ બનાવવા માટે નેવિગેશનલ અને કોમ્યુનિકેશન સપોર્ટ પૂરો પાડી રહ્યું છે.

વધુ વાંચો : સમુદ્રમાં ભારતીય જહાજ પર ફરીવાર હુમલો, ભારતે અટેકની કરી નિંદા

આ જહાજો પર્સિયન ગલ્ફમાંથી બહાર નીકળતાની સાથે જ, ઇન્ડીયન નેવીના યુદ્ધજહાજો તેમની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારે છે. તેમને ગલ્ફ ઓફ ઓમાન, ઉત્તરી અરબી સમુદ્ર દ્વારા, ભારતીય બંદરો સુધી પહોંચાડે છે. પ્રધાનમંત્રી, સંરક્ષણ મંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અને નેવીના ચીફ આ કામગીરી પર સતત નજર રાખી રહ્યા છે, જેમાં નેવી આ જહાજોને સક્રિયપણે એસ્કોર્ટ કરી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Navy Indian Ship Haji Ali
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ