બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતનો આ વિસ્તાર દરિયામાં ડૂબી ગયો! બે ટાપુ પણ થઈ ગયા ગાયબ

Global Warming / ગુજરાતનો આ વિસ્તાર દરિયામાં ડૂબી ગયો! બે ટાપુ પણ થઈ ગયા ગાયબ

Nirav Kumar

Last Updated: 07:42 PM, 8 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેન્ગ્રોવ જંગલ સમાપ્ત થવાના કારણે, કાર્બન ઉત્સર્જનના કારણે તથા ગ્લોબલ વોર્મિંગથી સમુદ્રની સપાટીમાં વધારો થયો છે. જેના કારણે ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જોખમમાં મુકાયા છે. જેમાં અમુક ટાપુ તો ડૂબી જ ગયા છે.

દુનિયામાં અનેક એવા ટાપુઓ છે જે હવે લગભગ અદ્રશ્ય થઈ ગયા છે. ભારતમાં પણ એક એવો ટાપુ હતો જે અદ્રશ્ય થઈ ગયો છે. ભારતના સુંદરવનમાં સ્થિત આ ટાપુ એક સમયે જંગલોથી ઢંકાયેલો હતો પરંતુ હવે તે લગભગ અદ્રશ્ય થઈ ગયો છે. સુંદરવનમાં સ્થિત આ ટાપુ ભંગાદુની ટાપુ તરીકે ઓળખાય છે. વર્ષ 2016 સુધીમાં  આ ટાપુ ધીમે ધીમે બંગાળની ખાડીમાં ડૂબી ગયો હતો. આ સાથે જંબુદ્વીપ નામનો ટાપુ પણ અદ્રશ્ય ગયો છે.

ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાના 2023 ના અહેવાલ મુજબ, દેશનો કુલ મેન્ગ્રોવ કવર 4992 ચોરસ કિમી હતું પરંતુ 2021 થી તેમાં 7.43 ચોરસ કિમીનો ઘટાડો નોંધાયો છે. પશ્ચિમ બંગાળમાં સુંદરવન મેન્ગ્રોવ્સમાં 2 ચોરસ કિમીનો ઘટાડો થયો છે તો ગુજરાતના વિસ્તારમાં 36 ચોરસ કિમીનો મોટો ઘટાડો નોંધાયો  છે. જો આની ઉપર ઠોંસ કામગીરી કરવામાં નહીં આવે તો વર્ષ 2050 સુધીમાં 113 દરિયાકાંઠાના શહેરોના ભાગો ડૂબી શકે છે.

વર્ષ 1975માં જ્યારે લેન્ડસેટ-2 અહીંથી પસાર થયું ત્યારે તેને આ વિસ્તારની તસ્વીર લીધી હતી. પણ મોજાઓની અસરથી ટાપુની માટી ધીમે ધીમે ધોવાઈ ગઈ. પાછળથી જ્યારે લેન્ડસેટ-5 ઉપગ્રહ પસાર થયો ત્યારે ટાપુનો મોટાભાગનો ભાગ ડૂબી ગયો હતો. મોજાઓના કારણે મીઠાના ભંડાર પણ બન્યા છે, જેનાથી મેન્ગ્રોવના મૂળને નુકસાન થયું છે. 2016 સુધીમાં લેન્ડસેટ-8 ની તસવીરો બતાવ્યું કે તે 1975 ના સાઈઝથી અડધું થઈ ગયું છે. FSIએ એહવાલ આપ્યો હતો કે, વર્ષ 1991 થી 2016 વચ્ચે 23 ચોરસ કિલોમીટર જમીન ડૂબી ગઈ હતી.

આ સાથે જંબુદ્વીપ પણ આ જ સ્થિતિમાં છે. વર્ષ 1991 ની તસવીરોમાં તે મોટો દેખાતો હતો પણ વર્ષ 2016 સુધીમાં તેની સાઈઝ ઘટી ગી હતી. વર્ષ 2024-2025 માટે સેટેલાઇટ ડેટા (નાસા અને WWF) મુજબ સુંદરવનમાં જમીન વાર્ષિક 3 સેમી ડૂબી રહી છે, જે વૈશ્વિક સરેરાશ કરતા બમણી છે. વર્ષ 1991થી 2016 સુધી ભંગાદુની દ્વીપનો 23 કિલોમીટર વિસ્તાર સમુદ્રમાં માહિત થઇ ગયો છે.

આ દ્વીપ ડૂબવાનું કારણમાં, મેન્ગ્રોવ જંગલ સમાપ્ત થવાનું છે. આ સિવાય ગ્લોબલ વોર્મિંગથી સમુદ્રની સપાટીમાં વધારો થયો છે, થર્મલ વિસ્તરણ અને હિમાલયના બરફ પીગળવાનું કારણ પણ છે. સુંદરવનમાં દરિયાની સપાટી વાર્ષિક 3.9 મીમી જે વૈશ્વિક સરેરાશ (1.7 મીમી) કરતા બમણી વધી રહી છે.

FSI ના વર્ષ 2023ના ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ, ભારતમાં કુલ મેન્ગ્રોવ 4,992 ચોરસ કિમી (દેશના વિસ્તારના 0.15%) હતું. જેમાં વર્ષ 2021માં 7.43 ચોરસ કિમી; ગુજરાત (-36.39), અંદમાન (-4.65), પશ્ચિમ બંગાળ (-2)નો ઘટાડો થયો છે. તો આંધ્ર (+13), મહારાષ્ટ્ર (+12), ઓડિશા (+8)માં વધારો થયો છે. છેલ્લા 25 વર્ષમાં સુંદરવનમાં 4 ટાપુઓ (બેડફોર્ડ, લોહાચરા, કબાસાગડી, દક્ષિણ તાલપટ્ટી) સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયા છે. સુંદરવન વાર્ષિક 3 સેમીના દરે ડૂબી રહ્યું છે જે વર્ષ 2030 સુધીમાં મૌસુની ટાપુનો 15% ભાગ ગાયબ થઈ જશે.

  • ભારતમાં કયા વિસ્તાર અને કેટલા ટાપુઓ જોખમમાં?
    ભારતના 102 ટાપુઓવાળા સુંદરવનમાં 50 થી વધુ વસ્તીવાળા ટાપુઓ છે પરંતુ ચાર અદૃશ્ય થઈ ગયા છે. એક રીપોર્ટ અનુસાર સુંદરવનમાં ઘોરમારા, મૌસુની, સાગર 30 ચોરસ કિમી ગુમાવ્યો જેમાં વર્ષ 2030 સુધીમાં 15% વિસ્તાર ડૂબી શકે છે. અંદમાન અને નિકોબારમાં 1 ચોરસ કિમી મેંગ્રોવનું નુકસાન થયું છે. લક્ષદ્વીપના નીચાણવાળા ટાપુઓ પણ જોખમમાં છે.
vtv app promotion

જો આમાં દરિયાકાંઠાના શહેરોની વાત કરવી હોય તો વર્ષ 2050 સુધીમાં 113 શહેરો જોખમમાં મૂકાશે. જેમાં ગુજરાતનું ભાવનગર 87 સેમી SLR, કેરળનું કોચી, આંધ્ર પ્રદેશનું વિશાખાપટ્ટનમ 62 સેમી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈના દરિયા વિસ્તાર ડૂબી શકે છે. WRI મુજબ વર્ષ 2050 સુધીમાં 1500 ચોરસ કિલોમીટર જમીન ધોવાણથી ડૂબી શકે છે.

  • દરિયાકાંઠાના વિસ્તારો પર જોખમ
    પશ્ચિમ બંગાળના સુંદરવનમાં 15% ટાપુઓ ડૂબી જશે જેનાથી આશરે 45 લાખ લોકો પ્રભાવિત થઈ શકે છે. ગુજરાતના ભાવનગરમાં દરિયાનું સ્તર 87 સેમી વધશે, જેનાથી 10 લાખથી વધુ લોકો જોખમમાં મુકાશે. ચેન્નાઈ, તમિલનાડુમાં પૂર અને દરિયાકાંઠાના ધોવાણથી 70 લોકો લોકોના જીવન જોખમમાં મુકાઈ રહ્યા છે.

તો મહારાષ્ટ્રના મુંબઈમાં વર્ષે 2 મિલીમીટરના દરે જમીન ધોવાઈ રહી છે, જેનાથી 2 કરોડથી વધુ લોકો જોખમમાં મુકાઈ રહ્યા છે. કેરળના કોચીમાં 5,00,000 થી વધુ લોકો પર અસર પડશે.

વધુ વાંચો : ખોડલધામ ખાતે યોજાયું લેઉવા પાટીદાર સમાજનું ભવ્ય શક્તિ પ્રદર્શન, CM સહિત દિગ્ગજો રહ્યાં હાજર"

  • શું કરી શકાય?
    આ ધોવાણને અટકાવવા માટે સરકારે મેન્ગ્રોવના ઘટતા જંગલોને ફરીથી રીસ્ટોર કરવા જોઈએ, ભારતનું કાર્બન ઉત્સર્જન ઘટાડવું જોઈએ. દરિયાઈ દિવાલો અને આબોહવા અનુકૂલન નીતિ પર ફોકસ કરવું જોઈએ. દરિયાકાંઠે રેતી નાખીને કાંઠો ઊંચો કરવો જોઈએ. બ્લીચિંગ અટકાવવા જોઈએ. આ સિવાય સૌથી નીચા અને જોખમી ટાપુઓની વસ્તીને મુખ્ય ટાપુઓ કે મેઇનલેન્ડ પર લઈ જવા જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Coastal Areas Mangrove Forests Bhangaduni Island
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ