બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ખોડલધામ ખાતે યોજાયું લેઉવા પાટીદાર સમાજનું ભવ્ય શક્તિ પ્રદર્શન, CM સહિત દિગ્ગજો રહ્યાં હાજર"

રાજકોટ / ખોડલધામ ખાતે યોજાયું લેઉવા પાટીદાર સમાજનું ભવ્ય શક્તિ પ્રદર્શન, CM સહિત દિગ્ગજો રહ્યાં હાજર"

Priyankka Triveddi

Last Updated: 06:54 PM, 8 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Khodaldham News: ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજે ખોડલધામ મંદિર-કાગવડ ખાતે લેઉવા પાટીદાર સમાજના શક્તિ પ્રદર્શનરૂપ એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

Khodaldham News: ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગઈકાલલે ખોડલધામ મંદિર-કાગવડ ખાતે લેઉવા પાટીદાર સમાજના શક્તિ પ્રદર્શનરૂપ એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્ર સરકારના મંત્રી મનસુખ માંડવિયા અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જેવા અગ્રણી મહાનુભાવોની હાજરીએ કાર્યક્રમને વિશેષ ભવ્યતા આપી. મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ, કન્વીનરો, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને સમાજજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અગ્રણીઓનું સન્માન અને સમાજની એકતા

ખોડલધામ ટ્રસ્ટ–કાગવડ દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ નવ નિમાયેલ લેઉવા પટેલ સમાજના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરીયા અને કમલેશભાઈ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ સમાજની એકતા અને શક્તિનો સંદેશ આપતો રહ્યો. કાર્યક્રમમાં સમાજના વિકાસ અંગે મહત્વના મુદ્દાઓ પણ પ્રતિપાદિત થયા.

નરેશ પટેલ–જયેશ રાદડિયા વચ્ચે સમાધાનના સંકેતો

આ કાર્યક્રમની સૌથી વધુ ચર્ચિત ઘટના એ રહી કે લાંબા સમયથી નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલા મતભેદોનું અંત આવ્યું હોવાનો અંદાજ થયો. અગાઉ જયેશ રાદડિયાએ નામ લીધા વિના કેટલાક અગ્રણીઓ પર કરેલી ટીકા બાદ મનદૂખ ઉભું થયું હતું. પરંતુ આજે તેમની ઉપસ્થિતિ અને બંનેને વચ્ચે થયેલી હળવી વાતચીતે સુખદ સમાધાનના સંકેતોને બળ આપ્યું. કાર્યક્રમમાં બન્ને અગ્રણીઓ સ્મિતભરી મુલાકાત કરતા જોવા મળ્યાં.

આ પણ વાંચો: હોમગાર્ડ જવાનોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, જાણીને પરિવાર પણ ખુશ થઇ જશે

vtv app promotion

અગત્યના નિવેદનો અને સમાધાન પાછળની ભૂમિકા

કાર્યક્રમ દરમિયાન જયેશ રાદડિયાએ કહ્યું: “જયેશ રાદડિયા હોય કે ના હોય, ખોડલધામ રહેવાનું જ છે. ખોડલધામ સમાજનું ગૌરવ છે.” આ નિવેદન સમાજમાં પ્રદાન કરાયેલા યોગદાનને સમર્પિત હતું. આ દરમિયાન ચર્ચા એવી પણ છે કે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બંને અગ્રણીઓ વચ્ચે સમાધાન કરાવવા માટે મહત્વનો ભાગ ભજવ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે ઘણી વખત વહેતી ચર્ચાઓ હકીકતથી દૂર હોય છે અને નરેશભાઈ–જયેશભાઈ હંમેશાં સમાજના કામોમાં સાથે રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Politics Khodaldham Trust Leuva Patel
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ