બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / હોમગાર્ડ જવાનોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, જાણીને પરિવાર પણ ખુશ થઇ જશે
Last Updated: 01:44 PM, 8 December 2025
Home Guard Retirement age : ગુજરાત સરકાર દ્વારા હોમગાર્ડ્ઝ દળના જવાનો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, હોમગાર્ડ્ઝ સભ્યોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. પૂર્વે ૫૫ વર્ષની નિવૃત્તિ વયમર્યાદા હવે 58 વર્ષ કરી દેવાઈ છે.
ADVERTISEMENT
આ સુધારો મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953ના નિયમ-9માં કરવામાં આવ્યો છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્યમાં હોમગાર્ડ્ઝ દળ પોલીસના પૂરક બળ તરીકે ઉત્તમ કામગીરી કરી રહ્યું છે. હોમગાર્ડ્ઝના જવાનો માનદ સેવા આપી ન માત્ર રાત્રિ પેટ્રોલિંગ, ટ્રાફિક નિયંત્રણ અને ચૂંટણી બંદોબસ્તમાં મદદરૂપ થાય છે, પરંતુ ધાર્મિક/મેળા બંદોબસ્ત, વી.આઈ.પી. સુરક્ષા સહિતની દૈનિક ફરજાઓ પણ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. હોમગાર્ડ્ઝ દળની સ્થાપના 6 ડિસેમ્બર 1947ના રોજ કરવામાં આવી હતી, અને તેનો મુખ્ય હેતુ પોલીસને પૂરક બળ પૂરૂં પાડવું, કાયદો અને વ્યવસ્થા જાળવવી અને કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયસર મેનેજ કરવી છે.
હોમગાર્ડ જવાનોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 8, 2025
(રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી હોમગાર્ડ જવાનની નિવૃત્તિની વયમર્યાદા 55 વર્ષ હતી, જેમાં 3 વર્ષનો વધારો કરીને 58 વર્ષ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયના કારણે હવે… pic.twitter.com/QYVlCUZgVz
ADVERTISEMENT
આ પણ વાંચો : 3.1ની તીવ્રતાથી ધ્રૂજી ઉઠી ગુજરાતના આ જિલ્લાની ધરા, સ્થાનિકોમાં ચિતાનું મોજું
નવા નિર્ણયથી હોમગાર્ડ્ઝ સભ્યોમાં રાષ્ટ્રસેવા માટેનો ઉત્સાહ વધશે અને તેઓ વધુ ત્રણ વર્ષ સુધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી શકશે. ઉલ્લેખનીય છે કે, હોમગાર્ડ્ઝના સભ્યો માનદ હોઈને કૌટુંબિક જવાબદારીઓ પણ નિભાવતા હોય છે. નિવૃત્તિ વયમર્યાદામાં વધારો તેમના માટે કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓ સાથે સરખા સમયમાં રાષ્ટ્રસેવામાં યોગદાન આપવા વધુ અનુકૂળ બની રહેશે.
ADVERTISEMENT

સ્થાનિક સ્તરે હોમગાર્ડ્ઝ જવાનો લોકોને નજીકથી ઓળખતા હોવાને કારણે, તેઓ પોલીસને કાયદા અને વ્યવસ્થાની કામગીરીમાં વધુ અસરકારક રીતે મદદ કરી શકે છે. આ નિર્ણયથી રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો થશે અને હોમગાર્ડ્ઝ દળના જવાનો રાષ્ટ્ર અને સમાજની સેવા માટે વધુ સમય સુધી સમર્પિત રહે શકશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.