બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:42 PM, 28 June 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર હાજર ભારતીય વાયુસેનાના અધિકારી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે સીધી વાતચીત કરી. આ વાતચીત ભારતના અવકાશ ઇતિહાસમાં એક નવો અધ્યાય જ નહીં, પણ ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા અને વૈશ્વિક અવકાશ સંશોધનમાં તેની મજબૂત ભાગીદારીનું પણ પ્રતીક છે.
ADVERTISEMENT
શુભાંશુ શુક્લા સાથે PM મોદીએ ગાજરનો હલવો વિશે વાત કરી#ModiISScall #IndianastronautISS #Indiaspaceachievement #GroupCaptainShubhanshuShukla #PMModispaceprogram #pmmodi #shubhanshushukla #VTVDigital pic.twitter.com/qsrPKSoIIn
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 28, 2025
પ્રધાનમંત્રી મોદીએ શુભાંશુ શુક્લા સાથે વીડિયો કોલ દ્વારા વાત કરતા તેમના સાહસ અને યોગદાનની પ્રશંસા કરી. પીએમ મોદીએ તેમની સોશિયલ સાઈટ X પર ટ્વીટ કરીને આ માહિતી આપી. વાતચીતમાં શુભાંશુએ કહ્યું કે ભારત અવકાશથી ભવ્ય લાગે છે. તેમણે પીએમ મોદીને ગાજરનો હલવો અને કેરીનો રસ અવકાશમાં લઈ જવાનો પણ ઉલ્લેખ કર્યો.
ADVERTISEMENT
PM @narendramodi interacted with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station. pic.twitter.com/Q37HqvUwCd
— PMO India (@PMOIndia) June 28, 2025
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અન્ય ત્રણ અવકાશયાત્રીઓ સાથે 25 જૂનના રોજ નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલમાં બેસીને ISS માટે રવાના થયા હતા. આ મિશન Axiom-4નો એક ભાગ છે.
ADVERTISEMENT
પ્રધાનમંત્રીએ તેમને સફળતાની શુભેચ્છા પાઠવી
રાકેશ શર્મા પછી, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પણ 41 વર્ષથી વધુ સમયમાં અવકાશમાં જનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી બન્યા, જે દેશ માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થયું.
ADVERTISEMENT
એક્સિઓમ- 4ના સફળ પ્રક્ષેપણ પછી, પ્રધાનમંત્રી મોદીએ મિશન પાઇલટ શુક્લા અને અન્ય ક્રૂ સભ્યોને અભિનંદન આપ્યા અને તેમને સફળતાની શુભેચ્છા પાઠવી.
Indian in Space: A 41-year wait that won’t repeathttps://t.co/9mwUT0GLi1
— PMO India (@PMOIndia) June 26, 2025
via NaMo App pic.twitter.com/Ih7rsOT3VS
ADVERTISEMENT
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે શુક્લા, જે ISS ની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી બનવા જઈ રહ્યા હતા, તેઓ તેમની સાથે "1.4 અબજ ભારતીયોની ઇચ્છાઓ, આશાઓ અને આકાંક્ષાઓ" લઈને આવ્યા હતા.
વધુ વાંચો: 'ધર્મ ચક્રવર્તી' શું હોય છે? જેનાથી PM મોદીને કરાયા સન્માનિત, તેની પાછળની કહાની છે રસપ્રદ
ADVERTISEMENT
એક્સિઓમ-4 મિશન નાસા અને ઈસરોના સફળ સહયોગથી
એક્સિઓમ-4 મિશનના ડ્રેગન અવકાશયાને ગુરુવારે સફળતાપૂર્વક ડોકીંગ પૂર્ણ કર્યું, જેનાથી અવકાશ મથક પર તેના ક્રૂના બે અઠવાડિયાના રોકાણની સત્તાવાર શરૂઆત થઈ. તેમના રોકાણ દરમિયાન, મિશન ટીમ માઇક્રોગ્રેવીટી વાતાવરણમાં વૈજ્ઞાનિક પ્રયોગો, ટેકનોલોજી પ્રદર્શનો અને શિક્ષણ આઉટરીચ પ્રવૃત્તિઓ કરશે.
શુભાંશુ શુક્લા ISS પર મિશન ટીમ દ્વારા હાથ ધરવામાં આવનાર 60 પ્રયોગોમાંથી સાતનું નેતૃત્વ કરશે. એક્સિઓમ-4 મિશન નાસા અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) વચ્ચેના સફળ સહયોગનું પ્રતીક છે, જે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમ ભારતીય અવકાશયાત્રીને અવકાશ સ્ટેશન પર મોકલવાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.