બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / પાકિસ્તાન એર સ્ટ્રાઈક પર ભડક્યું ભારત, કહ્યું 'શું માસૂમ બાળકો આતંકી હતા?'

પ્રહાર / પાકિસ્તાન એર સ્ટ્રાઈક પર ભડક્યું ભારત, કહ્યું 'શું માસૂમ બાળકો આતંકી હતા?'

Nirav Kumar

Last Updated: 02:32 PM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાને તેમના ખૈબર પખ્તુનખ્વામાં વિસ્તારમાં ઐર સ્ટ્રાઇક કરી હતી. જેમાં નિર્દોષ મહિલાઓ અને બાળકો સહિત 30 લોકોના મૃત્યુ થયા હતા. આ અંગે ભારતે UNHRC માં પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, પાકિસ્તાન કેવી રીતે પોતાના દેશના નિર્દોષોને મોતને ઘાટ ઉતારી રહ્યું છે.

પાકિસ્તાને તેના જ ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં ઐર સ્ટ્રાઈક કરી છે. આ એટેકમાં 30 લોકોના મોત થયા છે. જેમાં માસૂમ લોકોનો પણ સમાવેશ થાય છે. તેની પર ભારતે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ભારતીય રાજદૂત ક્ષિતિજ ત્યાગીએ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં ભારત તરફથી નિવેદન આપ્યું હતું. તેમને પાકિસ્તાનને આતંકવાદની ફેક્ટરીની યાદ અપાવી હતી, જેને પાકિસ્તાને પૈસા અને આશ્રય આપવાની નીતિ અપનાવી છે, તેના પર જ પાકિસ્તાનનો પાયો ટકેલો છે.

સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC) માં ભારતીય રાજદૂત ક્ષિતિજ ત્યાગીએ ભારત વતી જણાવતા પાકિસ્તાનની પોલ ખોલતા કહ્યું હતું કે, ખૈબર પખ્તુનખ્વામાં પોતાના લોકો પર જ બોમ્બમારો તથા ઉત્પીડન કરીને અને ભારતીય પ્રદેશો પર ગેરકાયદેસર રીતે કબજો કરવાનો પ્રયાસ કરીને પાકિસ્તાનના માનવાધિકાર ઉલ્લંઘન કરી રહ્યું છે.  ક્ષિતિજ ત્યાગીએ જણાવ્યું હતું કે, પોતાના નાગરિકો પર બોમ્બમારો કરવા અને ભારત વિરુદ્ધ પાયાવિહોણા અને ભડકાઉ નિવેદનો આપવાને બદલે તેમના દેશની ઘટી રહેલી અર્થવ્યવસ્થા પર ફોકસ કરવું જોઈએ.

ભારતે આ મામલે UNHRCમાં જણાવ્યું હતું કે, ભારતીય પ્રદેશ પર કબજો કરવાની લાલચ કરવાને બદલે પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ભારતીય પ્રદેશો ખાલી કરવા જોઈએ. પાકિસ્તાને તેના અર્થતંત્રને બચાવવા પર ફોકસ કરવું જોઈએ. કેમ કે મોંઘવારીએ પાકિસ્તાનને વેન્ટિલેટર પર લાવી દીધું છે. પાકિસ્તાને તેની સરકારને લશ્કરી પ્રભુત્વથી બચાવવી જોઈએ. માનવાધિકાર ઉલ્લંઘનના રેકોર્ડ પર ધ્યાન દોરવું જોઈએ ન કે આતંકવાદ અને યુએન દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓને આશ્રય આપવા માટે નીતિઓ અમે નિયમ બનાવવા જોઈએ.

પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈકમાં 30 લોકોના જીવ જતા ભારતીય રાજદ્વારીએ સંયુક્ત રાષ્ટ્રમાં તે નિર્દોષ લોકો ફોટોગ્રાફ બતાવ્યા હતા જેઓના મૃત્યુ થયા હતા. જેમાં કહેવાયુ હતું કે, પાકિસ્તાન કેવી રીતે પોતાના જ લોકો પર અત્યાચાર કરી રહ્યું છે તેમને આતંકવાદી સમજીને બોમ્બથી માફી રહ્યું છે.

વધુ વાંચો : અમેરિકાના H-1B વિઝા વચ્ચે જર્મનીથી ભારતીયો માટે આવી ખુશખબર, જાણીને ખુશ થઇ જશો

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને 22 સપ્ટેમ્બરની રાત્રે ખૈબર પખ્તુનખ્વાના તિરાહ ઘાટીના એક ગામમાં બોમ્બ વરસાવ્યા હતા. આ એટેકમાં બાળકો અને મહિલાઓ સહિત 30 લોકોના મોત થયા હતા. ખૈબર પખ્તુનખ્વાના લોકો અને સાંસદોએ આ એટેકને 'જેટ બોમ્બિંગ' ગણાવ્યો. પરંતુ ભારતે સવાલ ઉઠાવ્યા છે કે, શું નિર્દોષ બાળકો અને મહિલાઓ પણ આતંકવાદી હતા?. પાકિસ્તાની સોશિયલ મીડિયામાં પણ આ કાર્યવાહીની નિંદા થઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UNHRC Khyber Pakhtunkhwa Pakistan Air Strike
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ