બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Jamnagar, brother and sister killed their 15 year old younger sister due to superstition
ADVERTISEMENT
ગુજરાતમાં હાલ નવલા નોરતાની ધૂમ છે અને લોકો માતાજીની આરાધના કરી રહ્યા છે. નવરાત્રીમાં કન્યા પૂજનનું પણ વિશેષ મહત્વ રહ્યું છે પરંતુ જામનગરમાં એક કન્યાની તેના જ મોટા ભાઈ અને બહેને મળીને હત્યા કરી નાંખી. હૈયું હચમચાવી મૂકી તેવી આ કરપીણ હત્યાના કેસમાં 15 વર્ષની ફૂલ જેવી બાળકીનો વાંક માત્ર એટલો હતો કે તેના મોટા ભાઈ બહેન તેને અપશુકનિયાળ માનતા હતા.
માતાજી ક્યારેય નાની બહેનને મારવાનું કહેતા હશે?
જામનગરની ધ્રોલની સીમમાં શ્રમિક પરિવાર રહેતો હતો, નવરાત્રી શરૂ થતાં જ પરિવારે માતાજીના નામે ધૂણવાનું શરૂ કર્યું. મોટી બહેન સવિતા તડવીએ ધૂણતા ધૂણતા જણાવ્યું કે તેની નાની બહેન જ અપશુકનિયાળ છે અને તેના કારણે જ ઘરમાં સમસ્યાઓ સામે આવી રહી છે.
ADVERTISEMENT
રાક્ષસ બની ગયા બહેન ભાઈ
રાકેશ તડવી અને સવિતા તડવી બંને ભાઈ બહેનોના માથે જાણે રાક્ષસ અને પિશાચ ચડી ગયા હોય તેમ એમણે નાની બહેનને નિર્વસ્ત્ર કરી. પોતાની જ સગી નાની બહેન પર ભાઈએ છરીના ઘા માર્યા, બહેન પણ પાછળ ન રહી અને લાકડાના ઘા મારતી રહી. 15 વર્ષની કિશોરી પોતાના જીવ માટે બૂમો પાડતી રહી પણ કોઈ જ બચાવવા માટે આવ્યું નહીં.
કિશોરીનું આખું શરીર લોહીલુહાણ થઈ ગયા બાદ પણ ભાઈ બહેન રોકાયા નહીં અને તેને ઢસડીને બહાર લઈને આવ્યા, દીવાલમાં માથું પછાડ્યું અને અંતે દીકરીનું મૃત્યુ થયું.
ADVERTISEMENT
વહેલી સવારે પોલીસને જાણ થતાં દીકરીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયો છે અને ખૂંખાર ભાઈ બહેન રાકેશ તથા સવિતા સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.