જો તમારું બેંક ખાતુ ભારતીય સ્ટેટ બેંક અને બેંક ઑફ ઈન્ડિયામાં છે તો આ તમારા માટે કામની વાત છે. બેંક તેના ગ્રાહકોને એલર્ટ કરીને 31 માર્ચ સુધી જરૂરી કામ પતાવવાની સલાહ આપી છે.
બેંકે 31 માર્ચ સુધી જરૂરી કામ પતાવવાની આપી સલાહ
ગ્રાહકો તેના પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરાવી લે
મોડુ કર્યા વગર પહેલાં જ કરો આ કામ, નહીંતર સર્જાશે વિક્ષેપ
31 માર્ચ સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરાવી લો
બેંકે તેના ખાતાધારકોને કહ્યું છે કે ગ્રાહકો 31 માર્ચ સુધી તેના પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરાવી લે. બેંકે સોશિયલ મીડિયા, વેબસાઈટ, એસએમએસ, ઈ-મેલ દ્વારા ખાતાધારકોને આ અપીલ કરી છે. એવામાં જો તમે ઈચ્છો છો કે તમારી બેન્કિંગ પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ ના સર્જાય તો મોડુ કર્યા વગર તમારા પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરાવી લો. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ તેના ખાતાધારકોને અપીલ કરી છે કે તેઓ મોડુ કર્યા વગર પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરાવી નાખે. બેંક મુજબ, કોઈ પણ અસુવિધાથી બચવા માટે અથવા બેંકિંગ સર્વિસનો અટક્યા વગર ઉપયોગ કરવા માગો છો તો તમારા માટે પાન અને આધારનું લિન્કિંગ જરૂરી છે. બેંકે કહ્યું છે કે 31 માર્ચ 2022 પહેલા ગ્રાહક તેના પાન અને આધારને લિન્ક કરાવી લે. નહીંતર બેંકિંગ સર્વિસ ચાલુ રાખવામાં તેમને પરેશાની આવી શકે છે.
Bank of india એ શું કહ્યું?
SBIએ જ્યાં તેના ગ્રાહકોને કોઈ પણ અસુવિધાથી બચવા માટે પાન આધારને જોડવાની સલાહ આપી છે તો બેંક ઑફ ઈન્ડિયાએ પણ તેના ગ્રાહકોને 31 માર્ચ પહેલા પાન-આધાર લિન્ક કરવાનું જણાવ્યું છે. બેંકે તેના ગ્રાહકોને કહ્યું છે કે બેંક ખાતુ ખોલવુ અથવા ફરીથી રોકડ લેવડ-દેવડ અથવા રોકડ જમા કરવી અથવા ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે અથવા પછી બોન્ડ લેવા માટે પાન કાર્ડ ફરજીયાત દસ્તાવેજ છે. બેંકોએ તેના ખાતાધારકોને પાન આધારને લિન્ક કરવાની સરળ પદ્ધતિ પણ જણાવી છે. જે મુજબ તમે ઑનલાઈન પદ્ધતિથી તમારા પાન આધારને લિન્ક કરી શકે છે. જેના માટે તમે ઈન્કમ ટેક્સની સત્તાવાર વેબસાઈટ https://www.incometaxindiaefiling.gov.in/home લિન્ક પર જવુ પડશે.