બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જગન્નાથ રથયાત્રા પહેલા હિસ્ટ્રીશીટરો, NDPS આરોપીઓ અને કોમી તત્વોને પોલીસની કડક ચેતવણી

કાર્યવાહી / જગન્નાથ રથયાત્રા પહેલા હિસ્ટ્રીશીટરો, NDPS આરોપીઓ અને કોમી તત્વોને પોલીસની કડક ચેતવણી

Vishal Khamar

Last Updated: 10:23 PM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં અમદાવાદ પોલીસે માત્ર સુરક્ષા બંદોબસ્ત જ નહીં, પરંતુ ગુનાહિત તત્વો પર પણ કડક નજર રાખી છે. પોલીસે હિસ્ટ્રીશીટરો, બુટલેગરો, જુગારીઓ, NDPS કેસના આરોપીઓ તેમજ કોમી માનસિકતા ધરાવતા લોકોને પોલીસ સ્ટેશન બોલાવી કડક ચેતવણી આપી છે.

149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં શહેર પોલીસ માત્ર બંદોબસ્ત જ નહીં, પરંતુ ગુનેગારો પર પણ કડક નજર રાખી રહી છે. અમદાવાદ પોલીસે હિસ્ટ્રીશીટરો, બુટલેગરો, જુગારીઓ, NDPSના આરોપીઓ અને કોમી માનસિકતા ધરાવતા ઇસમોને પોલીસ સ્ટેશન બોલાવી કડક ચેતવણી આપી છે. સાથે જ તમામને કાયદાનું પાલન કરવા અને રથયાત્રા દરમિયાન કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા છે.. શું છે સમગ્ર મામલો..જોઈએ આ અહેવાલ..

ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ પોલીસ સતત પ્રિવેન્ટિવ એક્શનમાં છે. દરિયાપુર અને ગાયકવાડ હવેલી વિસ્તારના હિસ્ટ્રીશીટરો, MCR, બુટલેગરો, જુગારીઓ તેમજ NDPS કેસમાં જામીન પર છૂટેલા આરોપીઓને હાજર કરાવવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ તમામ સાથે બેઠક કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.પોલીસે ખાસ કરીને કોમી માનસિકતા ધરાવતા ઇસમો અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાતા લોકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અફવા, ઉશ્કેરણી કે કાયદાનો ભંગ સહન કરવામાં આવશે નહીં. કોઈ પણ વ્યક્તિ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..

અમદાવાદ પોલીસે આરોપીઓને કાયદાનું પાલન કરવાની અને શહેરમાં શાંતિ જાળવવામાં પોલીસને સહકાર આપવાની શપથ પણ લેવડાવી હતી. પોલીસે જણાવ્યું કે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગુનાખોરી અટકાવવાનો અને રથયાત્રા દરમિયાન સામાન્ય નાગરિકોને સુરક્ષિત રાખવાની છે..રથયાત્રા પૂર્વે શહેરના વિવિધ વિસ્તારોમાં આવી પ્રિવેન્ટિવ કાર્યવાહી સતત ચાલુ છે. અમદાવાદ પોલીસ માત્ર સુરક્ષા બંદોબસ્ત પર જ નહીં, પરંતુ ગુનાહિત તત્વો પર પણ સતત નજર રાખી રહી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રથયાત્રા દરમિયાન શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને કાયદો છોડશે નહીં...

આ પણ વાંચોઃ પ્રેમસંબંધમાં પતિ બન્યો નડતર, પત્નીએ રચ્યો હત્યાનો ખેલ, 3ની ધરપકડ, થરાદનો બનાવ

રથયાત્રા પહેલાં અમદાવાદ પોલીસનું આ પ્રિવેન્ટિવ એક્શન માત્ર એક ઔપચારિક કાર્યવાહી નથી, પરંતુ અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ છે કે અમદાવાદમાં શાંતિ ભંગ કરવાનો કોઈપણ પ્રયાસ સહન કરવામાં આવશે નહીં. ગુનેગારોને અગાઉથી ચેતવીને પોલીસ રથયાત્રાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનાવવાની તૈયારી કરી છે..

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rath Yatra Security ahmedabad police Jagannath Rath Yatra 2026
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ