બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / If you are suffering from mental stress then worship Lord Shiva as per the ritual on Friday
Last Updated: 09:24 AM, 5 January 2024
ADVERTISEMENT
આપણા સનાતન ધર્મમાં દરેક વારનું અલગ અલગ વિશેષ મહત્વ રહેલુ છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને અર્પણ કરવામાં આવ્યો છે. આ દિવસે કરૂણા અને ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાથે જ માતા લક્ષ્મી માટે લક્ષ્મી વૈભવ પણ રાખવામાં આવે છે. આ વ્રત મોટાભાગે મહિલાઓ રાખે છે. પણ આ આપણા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે આ વ્રત સ્ત્રી અને પુરૂષ બંને રાખી શકે છે. આ વ્રત કરવાથી સાધકની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
.jpg)
ADVERTISEMENT
આ સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશી આવે છે. આ દિવસે દૈત્યોના ગુરૂ શુક્ર દેવની પૂજા કરવામાં આવે છે. શુક્ર દેવની પૂજા કરવાથી શુક્ર ગ્રહ બળવાન બને છે.. શુક્ર ગ્રહ બળવાન હોવાના કારણે વ્યક્તિને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે.. અને મન પણ પ્રસન્ન રહે છે. જો તમે પણ તનાવમાંથી મુક્ત થવા માંગતા હોય તો તમે શુક્રવારના દિવસે આ ઉપાય કરી શકો છો.. ત્યારે આવો જાણીએ કે શુક્રવારના દિવસે તમારે ક્યાં ઉપાયો કરવા જોઈએ.

ADVERTISEMENT
શુક્રવારે કરો આ ઉપાય
જ્યોતિષ કુંડળીમાં શુક્ર અને ચંદ્રમા મજબૂત કરવા માટે ભગવાન શિવજીની પૂજા કરવાની સલાહ આપવામાં આવી છે. જો તમે માનસિક તનાવથી પરેશાન છો. તો તમારે દર શુક્રવારે વિધિ વિધાન સાથે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ..સાથે જ પૂજાના સમયે કાચ્ચા દુધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આ ઉપાય કરવાથી કુંડળીમાં ચંદ્રમા મજબૂત થાય છે. ચંદ્ર મનનો કારક છે.કુંડળીમાં ચંદ્રમા મજબૂત થવાથી માનસિક તનાવની સમસ્યા દુર થાય છે.
ADVERTISEMENT
કુંડળીમાં શુક્ર અને ચંદ્રમાને મજબૂત કરવા માટે શુક્રવારના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા બાદ ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આ સમયે ભગવાન શિવને સફેદ રંગના ફુલ, વસ્ત્ર અને મિષ્ટાન અર્પણ કરવું જોઈએ. આ ઉપાયને તમારે દર શુક્રવારના દિવસે કરવો. આવું કરવાથી ચિંતા દુર થાય છે.
શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાથી કુંડળીમાં શુક્ર અને ચંદ્ર મજબૂત થાય છે. શુક્રવારના દિવસે પૂજા પાઠ કર્યા પછી તમે સફેદ વસ્તુ જેમ કે દુધ, દહીં, ખાંડ અને સફેદ વસ્ત્રનું દાન કરવું જોઈએ. આવુ કરવાથી માનસિક તનાવ દુર થાય છે.
ADVERTISEMENT
જો તમે આર્થિક સંકડામણમાં છો અને તેના કારણે તમારી ચિંતા દુર થતી નથી તો તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મી વિશેષ પુજા અર્ચના કરવી જોઈએ.. પૂજના સમયે માતા લક્ષ્મીજીને કમણના ફુલ અને ખીર અર્પણ કરવી જોઈએ.આવુ કરવાથી તમારા ધન સંબંધિત તમામ સમસ્યાઓ દુર થાય છે અને માનસિક તનાવ પણ રહેતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.