બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Kishor
Last Updated: 08:36 AM, 21 June 2023
ખોટા પ્રકારની લાઈફ સ્ટાઈલ અને અયોગ્ય ખોરાકને પગલે શરીરમાં વિટામિનની ઉણપ ઊભી થાય છે. પરિણામે વાળ ખરવા સહિતની સમસ્યા માથું ઉચકતી હોય છે. આજના મોટાભાગના યુવાનોમાં આ સમસ્યા જોવા મળે છે. ત્યારે વાળ ખરવાની સમસ્યાથી સ્ત્રી અને પુરુષ છુટકારો મેળવવા માટે અનેક પ્રકારની દવાઓ લેતા હોય છે તથા મોંઘા તેલ અને ક્રીમનો પણ ઉપયોગ કરતા હોય છે છતાં ફાયદો થતો નથી. પરંતુ જો રોજ યોગ કરવામાં આવે તો આ સમસ્યાને કંટ્રોલમાં રાખી શકાય છે. ત્યારે આવો જાણીએ ક્યાં યોગથી શુ થાય છે ફાયદો!
અધોમુખ આસન
યોગગુરુ ડોક્ટર ભરત ભૂષણના જણાવ્યા અનુસાર અધોમુખ આસનથી વાળનો સારો એવો વિકાસ થાય છે. આ આસન કરતી વેળાએ તમારું માથું નીચેની તરફ રહે છે. જેને લઈને માથામાં લોહીનો પ્રવાહ વધતા વાળનો પૂરતું પોષણ મળે છે. આથી વાળનો વિકાસ થાય છે આથી વાળ ખરવાની સમસ્યાને નિયંત્રણમાં રાખી શકાય છે.
ઉષ્ટ્રાસન આસન
ઉષ્ટ્રાસન આસન વાળ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ આસન દરરોજ કરવાથી વાળને ભરપૂર પોષણ મળે છે અને પૂરતા ઓક્સિજનની સપ્લાય થતી હોવાથી વાળ એકદમ મજબૂત પણ થાય છે. આ આસન કરતી વેળાએ ઘુંટણીએ બેસવામાં આવે છે. ત્યારબાદ હાથને હિપ્સ પર રાખવામાં આવે છે તથા ઘુંટણ અને ખંભા એક જ લાઈનમાં હોવા જોઈએ અને પગના તળિયા ઉપર તરફે હોવા જોઈએ. આ મુદ્રામાં શ્વાસ અંદરની તરફ ખેંચવામાં આવે છે અને કરોડરજ્જુને આગળ તરફ લઈ જવા પ્રયાસ કરવામાં આવે છે. આ દરમિયાન નાભી પર દબાણ અનુભવાવું જોઈએ.
ઉત્તાનાસન આસન
વાળના વિકાસ અને તેને ખરતા અટકાવવામાં સૌથી ફાયદાકારક ગણાતું ઉત્તાનાસન આસન કરવાથી વાળને મજબૂતી મળે છે. આ આસન કરતી વેળાએ માથું નીચે કરી અને માથાને પગ સુધી લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ દરમિયાન પીઠને વાળવામાં આવે છે. આવી મુદ્રામા લોહી માથા તરફ જતું હોવાથી પોષણ મળે છે. જેમાં વાળ અને ઓક્સિજન મળતું હોવાથી વાળનો વિકાસ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime