ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / how to register online on e shram portal e shram card benefits and registration process

ફાયદાની વાત / જલ્દી કરો! 29 કરોડ લોકોએ બનાવડાવ્યું આ કાર્ડ, મળે છે 2 લાખ સુધીનો અકસ્માત વીમો, જાણો પ્રોસેસ

Published By: Arohi

Last Updated: 12:58 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

E-Shram Yojana: ઈ-શ્રમ કાર્ડ બનાવવાના ઘણા ફાયદા છે. તેમાં વીમા લાભ તો મળે જ છે સાથે જ ઘણી સરકારી યોજનાઓનો ફાયદો પણ કાર્ડ હોલ્ડર ઉઠાવી શકે છે.

ADVERTISEMENT

અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ-શ્રમ યોજના શરૂ કરી હતી. આ યોજનાને ખૂબ રિસ્પોન્સ મળે છે અને અત્યાર સુધી 29,41,32,933 ઈ-શ્રમ કાર્ડ બની ચુક્યા છે. જે વ્યક્તિની પાસે ઈ-શ્રમ કાર્ડ હોય છે તેને આર્થિક મદદની સાથે સવા2 લાખ રૂપિયાના દુર્ઘટના વીમાનો લાભ પણ સરકાર આપે છે. 

ઈ-શ્રમ કાર્ડધારકોને પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર કરવા માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય સામાજીક સહાયતા યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અને પ્રધાનમંત્રી રોજગાર સૃજત યોજનાનો લાભ પણ મળે છે. 

કોણ બનાવી શકે છે ઈ-શ્રમકાર્ડ? 
અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર કોઈ પણ ભારતીય નાગરિક જેમની ઉંમર 16થી 59 વર્ષની વચ્ચે છે. તે ઈ-શ્રમકાર્ડ બનાવી શકે છે. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની શ્રેણીમાં દુકાનનો નોકર/ સેલ્સમેન / હેલ્પર, ઓટો ચાલક, ડ્રાઈવર, પંચર બનાવનાર, ડેરીવાળા, બધા પશુપાલક, પેપર હોકર, જોમેટો અને સ્વિગી, એમેઝોન, ફ્લિપકાર્ટના ડિલિવરી બોય, ઈટ ભઠ્ઠા પર કામ કરનાર મજૂર વગેરે શામેલ છે. 

વધુ વાંચો: વિદેશ ભણવા જવા માટે લોન લેવી છે? જરૂરી કાગળિયાથી લઈ પ્રોસેસ એકદમ સરળ રીતે સમજો

આ રીતે કરો ઓનલાઈન અરજી

  • ઈ-શ્રમ પોર્ટલની ઓફિશ્યલ વેબસાઈટ eshram.gov.in પર જાઓ. 
  • હોમ પેજ પર રજીસ્ટર ઓન ઈ-શ્રમ વિકલ્પ પર ક્લિક કરો.
  • નવું પેજ ખુલવા પર માંગેલી જાણકારી ભરો. 
  • જાણકારી ભર્યા બાદ આધાર કાર્ડથી લિંક મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. તેને દાખલ કરો. 
  • હવે રજીસ્ટ્રેશન ફોર્મ જોવા મળશે. તેને આખુ ભરો. 
  • જે દસ્તાવેજ માંગેલા છે તેને અપલોડ કરો. 
  • દસ્તાવેજને અપલોડ કર્યા બાદ ફોર્મને એક વખત ફરી ચેક કરી લો કે જે જાણાકારી ભરી છે તે સાચી છે કે નહીં. 
  • હવે ફોર્મને સબ્મિટ કરી દો. 
  • રજીસ્ટ્રેશન પ્રક્રિયા પુર થયા બાદ 10 આંકડાનો ઈ-શ્રમ કાર્ડ ઈશ્યુ થઈ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

E-Shram Yojana e Shram card e shram portal registration process ઈ-શ્રમ કાર્ડ E Shram Card

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ