બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:30 PM, 1 October 2025
બુધવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ડિજિટલ પેમેન્ટ યુઝર્સને રાહત આપી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય નીતિ સમીક્ષા બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી હતી કે UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. વર્તમાન નીતિ હેઠળ UPI સંપૂર્ણ રીતે ફ્રી રહેશે. સરકાર અને RBI બંનેનો ઉદ્દેશ્ય ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો અને તેને દેશભરમાં વધુ લોકો સુધી પહોચાડવાનો છે.
ADVERTISEMENT
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાના પ્રસ્તાવ પર કહ્યું હતું કે, UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે UPI સતત રેકોર્ડ બ્રેક કરી રહ્યું છે અને ભારત વિશ્વનું સૌથી મોટું રીઅલ-ટાઇમ પેમેન્ટ માર્કેટ બની ગયું છે. પરંતુ UPIના ઝીરો કોસ્ટ મોડેલની સ્થિરતાને લઇ માર્કેટમાં અટકળો શરુ થઇ હતી કે, UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો નિયમ આવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.