જેમ સમયથી સાથે રહેણીકરણીમાં બદલાવની જરૂરિયાત હોય છે..તેવી જ રીતે કાયદાઓ અને સરકારની નીતિઓમાં પણ બદલાતા સમય સાથે ફેરફાર જરૂરી બની જાય છે..પછી તે આર્થિક નીતિ હોય,શિક્ષણનીતિ હોય કે અન્ય કોઈ પણ નીતી હોય...કે જે દેશના કે રાજ્યના લોકોને સીધી રીતે સ્પર્શતી હોય...પરંતુ શું ખરેખર સમયાંતરે આવી નીતિઓમાં ફેરફાર થાય છે ખરો?વાત આપણે જો શિક્ષણની નીતિની કરીએ તો શું સરકાર સમયાંતરે શિક્ષણનીતિમાં બદલાવ કરે છે ખરી? ના એવું નથી થઈ રહ્યું..કેમ કે સૌથી છેલ્લે શિક્ષણનીતિમાં બદલાવ 1992માં થયો હતો...અને હાલના સમયમાં ચાલી રહેલી 1992ની શિક્ષણનીતિ આપણા જ વિદ્યાર્થીઓને પડકારો સામે લડવામાં નબળા બનાવી રહી છે...ત્યારે હવે નવી શિક્ષણનીતિ માટે સરકાર જે કમર કસી રહી છે તેનાથી આપણા વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર બદલાશે ખરું? શું અત્યાર સુધી સરકારો આ નીતિમાં બદલાવ કરવામાં ઉદાસીન રહી? શું હવે નવી નીતિથી શિક્ષણની ઉન્નતી થશે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન...