બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:49 PM, 20 January 2024
ADVERTISEMENT
48 કલાક પછી ભારત અને વિશ્વભરમાં વસતા હિંદુઓ ગર્વની પળના સાક્ષી બનશે. કેમ કે અયોધ્યામાં જ ભવ્ય મંદિરમાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ ઘડી આસ્થામાં પ્રાણ અને ભારતની પ્રતિષ્ઠા વધારનારી રહેશે.કેટલાયે આંદોલન, વર્ષોની કોર્ટ કાર્યવાહી,અને કેટલાયે પ્રકારના સંઘર્ષ પછી આ ભવ્ય ઘડી આવી છે. ભારતીયોની અસ્મિતા અને આસ્થાના કેન્દ્રબિંદુ અયોધ્યામાં શ્રીરામ નિજમંદિરમાં બિરાજમાન થશે.
ADVERTISEMENT
શ્રી રામનું જીવન એટલે કુટુંબ પ્રત્યેની ફરજ., ભાઇ તરીકેની ભૂમિકા..,માતા-પિતાની સેવા અને ગુરૂ પ્રત્યેની નિષ્ઠા.,મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ.શત્રુમાં પણ આદર્શ..,એવી અનેક બાબતો જે સામાન્ય વ્યક્તિથી લઇને રાજા સુધીમાં આદર્શ મૂલ્યોનું સિંચન કરી શકે. આજે પણ આ બધી બાબતો આપણા માટે પ્રેરણાસ્ત્રોત બની શકે.એક સામાન્ય વ્યક્તિ તરીકે શ્રી રામના જીવનમાંથી શું શીખી શકીએ? રામ આવશે પણ આપણા જીવનમાં શું બદલાશે? ત્યાગ અને મર્યાદાનું વાસ્તવિક જીવનમાં સ્થાન ક્યા છે? જીવનમાં કેવી કર્તવ્યબદ્ધતા વ્યક્તિને મહાન બનાવી શકે?
શ્રી રામ આવશે કેટલા બદલાઇશું આપણે?
દેશભરમાં જય શ્રી રામનો નારો ગુંજી રહ્યો છે. ત્યારે શ્રી રામ જેવા આદર્શ કેવી રીતે અપનાવી શકીએ? પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર છે. કુટુંબ પ્રત્યને ફરજ નિષ્ઠા કેવી હોવી જોઈએ? ભાઈ તરીકે કેવી ભૂમિકા ભજવવી જોઈએ? દાંપત્યજીવનમાં કેવા આદર્શ હોવા જોઈએ? મિત્ર પણ રામ જેવા, અને શત્રુ પણ રામ જેવા! શત્રુની ભૂમિ પ્રત્યે પણ મોહ ન રાખ્યો! જનેતા અને જન્મભૂમિનું મૂલ્ય શીખવ્યું! સ્ત્રી સન્માન માટે શીખ આપી છે. ત્યાગમાં આગળ, ભોગમાં નહીં! `યથા રાજા તથા પ્રજા'નું વચન.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.