બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:15 PM, 17 July 2026
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષની અસર હવે વૈશ્વિક તેલ બજાર પર સ્પષ્ટ જોવા મળી રહી છે. વિશ્વના મોટા ભાગના દેશો માટે મહત્વનો ગણાતો હોર્મુઝ જળમાર્ગ લાંબા સમયથી દબાણ હેઠળ છે. આ સ્થિતિ યથાવત રહી તો તેલ અને ગેસના પુરવઠા પર મોટી અસર પડી શકે છે. IEAના કાર્યકારી નિર્દેશક ફાતિહ બિરોલે કહ્યું છે કે જો સ્થિતિ જલ્દી સામાન્ય નહીં બને તો વિશ્વ ઊર્જા સંકટનો સામનો કરી શકે છે.
ADVERTISEMENT
ફાતિહ બિરોલના જણાવ્યા મુજબ હોર્મુઝ જળમાર્ગ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વનો છે. વિશ્વમાં વપરાતા તેલનો મોટો હિસ્સો આ માર્ગથી પસાર થાય છે. જો આગામી થોડા અઠવાડિયામાં અહીં સ્થિતિ સુધરશે નહીં તો વૈશ્વિક બજારમાં તેલ અને ગેસની ઉપલબ્ધતા પર ગંભીર અસર પડી શકે છે. તેમના કહેવા પ્રમાણે આ મુદ્દે વિશ્વે પહેલેથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ.
ADVERTISEMENT
ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો હોર્મુઝ જળમાર્ગ વિશ્વના સૌથી વ્યસ્ત ઊર્જા માર્ગોમાંનો એક છે. વિશ્વના કુલ ઊર્જા પુરવઠાનો મોટો ભાગ અહીંથી પસાર થાય છે. આ માર્ગમાં અવરોધ સર્જાય તો એશિયા સહિત અનેક દેશોમાં ઈંધણની અછત અને ભાવવધારો જોવા મળી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
છેલ્લા કેટલાક મહિનાઓમાં વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં વધારો થયો હોવા છતાં કેટલીક બાબતોએ સ્થિતિને વધુ ખરાબ બનતા અટકાવી છે. ચીન દ્વારા મોટા પ્રમાણમાં તેલનો જથ્થો એકઠો કરવો, ઇલેક્ટ્રિક વાહનોનો વધતો ઉપયોગ અને IEA દ્વારા બજારમાં વધારાનો તેલ પુરવઠો ઉપલબ્ધ કરાવવો તેમાં સામેલ છે. આ પગલાંઓના કારણે ભાવમાં અતિશય ઉછાળો અટક્યો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ''જ્યાં સુધી આગામી આદેશ ન થાય...'', હોર્મુઝને લઇ ભારતીયો માટે DGMAની એડવાઈઝરી જાહેર
ADVERTISEMENT
IEAના મતે જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો પર પણ અસર પડી રહી છે, પરંતુ ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા વિકાસશીલ દેશો માટે સ્થિતિ વધુ પડકારજનક બની શકે છે. કારણ કે આવા દેશો ઊર્જા આયાત પર વધુ નિર્ભર છે. તેલ અને ગેસના ભાવ વધતા પરિવહન ખર્ચથી લઈને રોજિંદા જીવન સુધીની અનેક વસ્તુઓ મોંઘી થઈ શકે છે.
માર્ચ મહિનામાં IEA દ્વારા સભ્ય દેશોના સંયુક્ત ભંડારમાંથી તેલ બજારમાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ફાતિહ બિરોલે જણાવ્યું કે જરૂર પડશે તો ફરીથી તેલ ભંડાર બજારમાં છોડવામાં આવી શકે છે. હાલ પણ IEA પાસે મોટો જથ્થો ઉપલબ્ધ છે જે કટોકટીની સ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય છે.
ઊર્જા પુરવઠામાં અવરોધ સર્જાય તો તેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી શકે છે. ઉત્પાદન ખર્ચ વધશે, પરિવહન મોંઘું બનશે અને મોંઘવારીનો દબાણ વધી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે હોર્મુઝ અને બાબ અલ મન્દેબ જેવા મહત્વના જળમાર્ગોમાં સ્થિરતા જાળવવી વિશ્વ અર્થવ્યવસ્થા માટે ખૂબ જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.