બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અમદાવાદ એરપોર્ટ પર હોંગકોંગની ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાતાં મચી સનસની, શું કારણ?
Last Updated: 03:55 PM, 14 October 2025
અમદાવાદ એરપોર્ટ પર આજે એક ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. કતાર એરવેઝની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા આ ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે. દોહાથી હોંગકોંગ જઈ રહેલી ફ્લાઇટમાં ખામીને કારણે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તત્કાલ રીતે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઇમરજન્સી લેન્ડિંગ 2:30 વાગે કરાયું હતું.
ADVERTISEMENT
Qatar Airways Flight QR816 from Doha to Hong Kong was diverted to Ahmedabad, made a precautionary emergency landing due to a technical issue. The aircraft landed safely at around 2:30 PM, and all passengers are safe. Technical checks are currently being carried out to assess the…
— ANI (@ANI) October 14, 2025
આ પ્લેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. આ ઘટનાને પગલે ચાંદખેડા ફાયર સ્ટેશનના 3 વાહનો પણ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય માટે મોકલી દેવામાં આવ્યા હતા. અત્યારે ફ્લાઇટમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીની તપાસ કરવામાં આવી છે. આ પ્લેન અમદાવાદ નહતું આવવાનું પરંતુ ટેક્નિકલ ખામીને કારણે, અમદાવાદ ડાયવર્ટ કરાયું છે.
ADVERTISEMENT

આવી ઘટનાઓ અનેક વખત સામે આવી ચુકી છે જેમાં ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હોય. તાજેતરમાં જ ઇન્ડિગોની તુતીકોરિનથી ચેન્નાઈ જઈ રહેલી ફ્લાઈટમાં વિન્ડશિલ્ડમાં તિરાડ પડતા ફ્લાઈટનું ચેન્નાઈમાં સુરક્ષિત લેન્ડિંગ કરાયું હતું. જેમાં 67 મુસાફર સવાર હતા.એના પહેલા ગત જુલાઈ માસમાં દિલ્લીથી ગોવા જઈ રહેલી ફ્લાઈટનો અકસ્માત થતા થતા રહી ગયો હતો, તેનું મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, 12 જૂન 2025 ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. જેમાં બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં મેડિકલ કોલેજ હોસ્ટેલની ઇમારત પર પડ્યું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા. તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને 4 MBBS વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.