હેલ્મેટ મરજિયાત કરવાને લઇ રાજ્યસરકારે સુપ્રીમની કમિટીને જવાબા આપ્યો હતો. જેમાં સરકારે હેલ્મેટનો કાયદો ફરીથી લાગુ કરવાની વાત સ્પષ્ટ કહી હતી. એટલે કે, હાલ ગુજરાતમાં અમુક જગ્યા અને રોડ ઉપર હેલ્મેટનો કાયદો લાગૂ છે અને અમુક ઉપર નથી. વળી સરકારને જરૂર જણાશે તો હેલ્મેટ ફરજિયાત પણ કરશે. એટલે કે, રાજ્ય સરકાર હેલ્મેટ મુદ્દે હજુ પણ અસમંજસમાં જ છે? એવો પ્રશ્નો થઈ રહ્યો છે.
હેલ્મેટ કાયદામાં ઢીલ રાજ્ય સરકારનો અધિકાર
કાયદાની મર્યાદામાં રહીને ગુજરાતે નિર્ણય લીધો
લાગશે તો ફરીવાર હેલ્મેટ કાયદો લાગુ કરીશું
રાજ્ય સરકારે કહ્યું કે કાયદાની મર્યાદામાં રહીને નિર્ણય લીધો છે. અને લાગશે તો ફરીથી હેલ્મેટનો કાયદો લાગુ કરીશું. હેલ્મેટ મરજિયાત કરવાને લઇ રાજ્ય સરકારની ટીકા થઇ હતી અને જ્યારે કડક હેલ્મ્ટે કાયદાનો વિરોધ થયો હતો.
શું કહ્યું હતુ CM રૂપાણીએ
અગાઉ હેલ્મેટ પર સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે હેલ્મેટનો કાયદો કેટલાક સમય માટે મરજિયાત કરવામાં આવ્યો છે. હેલમેટ કાયદો સરકારે દૂર કર્યો નથી. તમને જણાવી દઈએ કે હેલ્મેટ મામલે લોકોના વિરોધ બાદ રાજ્ય સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં આવતા માર્ગો પર હેલ્મેટ મરજિયાત કર્યું હતું. જ્યારે હાઈ-વે પર હેલ્મેટ ફરજિયાત છે.
સુપ્રીમમાં મેટર કેવી રીતે પહોંચી?
ગુજરાત સરકાર વારંવાર હેલ્મેટના કાયદા માટે કભી હા કભી ના જેવી પરિસ્થિતિ ઉભી કરે છે ત્યારે હેલ્મેટ ફરજિયાતના કાયદાને મરજિયાત બનાવ્યો હતો ત્યારે સુપ્રીમમાં અરજી થઈ હતી કે, લોકોની સુરક્ષા મા