બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / મુંબઈ / અન્ય જિલ્લા / Heavy rain in mumbai amid Tauktae Cyclone
ADVERTISEMENT
ગુજરાત માથે તૌકતે વાવાઝોડું સાંજે ટકરાવવા જઈ રહ્યું છે. આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકે તે પહેલા દક્ષિણ ભારત થઈને મુંબઈ થઈને ગુજરાત તરફ આવ્યું છે. મુંબઈના દરિયા કિનારાના નજીકથી વાવાઝોડું પસાર થયું હોવાથી મુંબઈમાં વાવાઝોડાની ભયંકર અસર જોવા મળી છે. ભારે પવન સાથે ભયંકર વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે. મુંબઈમાં વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે તથા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. મુંબઈમાં ખાલી વાવાઝોડાની અસર જ છે છતાં ભયંકર દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે ગુજરાત પર તો વાવાઝોડું સીધું ત્રાટકવાનું છે.
જુઓ મુંબઈના ભયંકર દ્રશ્યો
ADVERTISEMENT
ADVERTISEMENT
INS Kolkata sails out for assistance on SOS received from Barge 'GAL Constructor' with 137 people onboard about 8 Nautical Miles from Mumbai: PRO Defence, Mumbai#CycloneTauktae pic.twitter.com/7mXT0buUpg
— ANI (@ANI) May 17, 2021
ADVERTISEMENT
#WATCH | Maharashtra: Arabian Sea turns rough, in wake of #CycloneTaukte. Visuals from Marine Drive in Mumbai. pic.twitter.com/ovbFFJPruQ
— ANI (@ANI) May 17, 2021
ADVERTISEMENT
ADVERTISEMENT
Maharashtra: Trees and and an electricity poll uprooted near Shiv Sena Bhavan in Mumbai due to heavy rain and winds.#CycloneTaukte pic.twitter.com/QCyafGdTPD
— ANI (@ANI) May 17, 2021
ગુજરાતમાં શું છે અસર?
ભાવનગરના મહુવાથી પોરબંદર વચ્ચે વાવાઝોડુ લેન્ડ કરશે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ વાવાઝોડુ જમીન સાથે ટકરાશે ત્યારે 200 કિલો મીટર પ્રતિકલાકની ઝડપ હશે. દરિયામાં 2 મીટર સુધી મોજા ઉછળી શકે છે. એટલે અમરેલી, ભાવનગર, બોટાદ, વલસાડ, નવસારીમાં તૌકતે વાવાઝોડાની વધારે અસર જોવા મળશે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વાવાઝોડાની અસર દેખાશે. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડવાની આગાહી છે. આ તમામ જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તૌકતે વાવાઝોડાને તિવ્રતાને જોતા ગ્રેટ ડેન્ઝર સિગ્નલ જાહેર કરાયુ છે.
અત્યંત ભયંકર કેટેગરીમાં મુકાયું આ વાવાઝોડું
કોરોના વાયરસ સામે લડતા ગુજરાતના માથે વાવાઝોડાનું ખૂબ જ મોટું સંકટ આવીને ઊભું થયું છે ત્યારે આ વાવાઝોડાએ હવે ગતિ વધારી છે તેજીથી ગુજરાત તરફ તે આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિ ગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે અને આ કેટેગરીમાં 225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે રાત્રે જ વાવાઝોડું ગુજરાતને ટકરાવાનું છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે 10 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.