બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ સિવિલમાં શરૂ કરાયો હીટવેવ વોર્ડ, લોકોને 24 કલાક પાણી ઉપલબ્ધ કરાશે, 108 રહેશે એલર્ટ મોડ પર

સુવિધા / અમદાવાદ સિવિલમાં શરૂ કરાયો હીટવેવ વોર્ડ, લોકોને 24 કલાક પાણી ઉપલબ્ધ કરાશે, 108 રહેશે એલર્ટ મોડ પર

Last Updated: 03:15 PM, 12 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ગરમીનાં કારણે લોકોને હીટ સ્ટ્રોકની અસર થાય છે. જેને લઈ સિવિલ હોસ્પિટલમાં હિટવેવ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ 108 ને પણ એલર્ટ મોડ પર રખાઈ છે. હિટવેવને લઈ સિવિલ હોસ્પિટલ દ્વારા ખાસ તૈયારી કરાઈ છે.

રાજ્યમાં ધીરે ધીરે ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો વધતા લોકો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે. પરંતું થોડા દિવસથી ગરમીમાં રાહત મળી છે. પરંતું આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની શક્યતા છે. જેને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં હીટસ્ટ્રોકની અસર થયેલા દર્દીઓને દાખલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકોને ચક્કર આવે, ઉલ્ટી થાય, આંખો સામે અંધારપટ છવાઈ જાય, ગભરામણ થાય તે તમામ લોકોએ તાત્કાલિક સારવાર લેવી જોઈએ. કેમકે તેઓને હીટસ્ટ્રોકની અસર થવાની શક્યતાઓ વધારે છે.

vlcsnap-2024-05-12-14h48m20s540

હીટ સ્ટ્રોકનો ભોગ બનેલાને ઝડપી સારવાર મળે તે માટે વિશેષ વોર્ડ બનાવાયો

આ સમગ્ર બાબતે અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં અધિક્ષક ર્ડા. રાકેશ જોશીએ જણાવ્યું કે, ગરમીનાં દિવસોમાં લોકોએ ઘરની બહાર નીકળે છે. ત્યારે તાપમાનનો પારો વધુ હોવાનાં કારણે અને પુરતા પ્રમાણમાં પાણી નહી પીવાનાં કારણે ઘણા લોકો હીટસ્ટ્રોકનો ભોગ બને છે. આવી દર્દીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં આવી રહ્યા છે. આવા લોકોને પ્રાથમિકતા આપી તેઓને સારી સારવાર મળી રહે તે માટે આ વિશેષ વોર્ડ બનાવવામાં આવ્યો છે.

vlcsnap-2024-05-12-14h48m29s813

દર્દીઓનાં પરિવારજનો લાઈનમાં ઉભા હોય તો તેઓને પાણી પીવડાવવાની વ્યવસ્થા કરાઈ

વધુમાં સિવિલ હોસ્પિટલમાં અધિક્ષક ર્ડા. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાથે તેઓનાં પરિવારજનો પણ આવે છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઓપીડીમાં દર્દીઓ આવે છે. તેમજ તેઓને લાઈનમાં ઉભા રહી રાહ જોવી પડે છે. એવા દર્દીઓનાં પરિવારજનો માટે 1200 બેડની હોસ્પિટલમાં જ્યાં દર્દીઓનાં સગા ઉભા હોય તેઓને હોસ્પિટલનાં સ્ટાફ તરફથી પીવાનું પાણી આપવામાં આવે છે. તેમજ ત્યાં કૂલર પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે કેટલાક લોકોને એવો ડર હોય છે કે તેઓ લાઈનમાંથી ખસીને પાણી પીવા જશે તો તેઓનો વારો જતો રહેશે જેથી ઘણા દર્દીઓનાં સગા વ્હાલાઓ પાણી પીવા પણ જતા નથી. જે સમસ્યાનાં નિરાકરણ માટે ટ્રોલીમાં પાણી ભરીને લાઈનમાં ઉભેલા દર્દીઓનાં સગા-વ્હાલાને પીવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુ વાંચોઃ 'તેઓએ આવું બોલવું જ ન જોઇએ', પી.ટી જાડેજાની વાયરલ ઓડિયો ક્લિપ મામલે શું બોલ્યા પદ્મિનીબા વાળા

બપોરે 12 થી 4 વાગ્યા સુધી કામ વગર ઘરની બહાર ન નીકળો

હીટવેવને લઈ સિવિલ હોસ્પિટલનાં અધ્યક્ષ ર્ડા. રાકેશ જોશીએ લોકોને સલાહ આપી હતી કે હાલમાં ગરમીની સીઝન ચાલતી હોઈ બપોરે 12 વાગ્યા થી લઈ સાંજે ચાર વાગયા સુધી તડકો હોય છે. જે દરમ્યાન જરૂરી કામ ન હોય તો ઘરમાંથી બહાર ન નીકળવું. અને જો બહાર નીકળો તો સાથે પાણીની બોટલ, લીંબું પાણી સાથે રાખો તેમજ થોડા થોડા સમયમાં અંતરે તેને પીવું.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Hitwave Ward Ahmedabad Civil Hospital
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ