બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ગઈ રાતે લતા મંગેશકરના ટ્વિટર એકાઉન્ટ પરથી તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ શેર કરવામાં આવી હતી. ટ્વિટમાં લતાજીના કુટુંબીજનોએ લખ્યું હતું, 'લતાજીના તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ રિકવર થઈ રહ્યાં છે. તમારી પ્રાર્થના અને ચિંતા બદલ અમે તમારો આભાર માનીએ છીએ'. જે રીતે લતાજીની તબિયત સુધરી રહી છે તે જોતાં ચાહકોને આશા છે કે તે જલ્દીથી હોસ્પિટલથી ઘરે પરત આવશે.
Lata didi is stable..and recovering...
— Lata Mangeshkar (@mangeshkarlata) November 14, 2019
We thank each one of you, for your concern, care and prayers!
ADVERTISEMENT
લતાજીને બીમારીમાંથી રિકવર થવામાં લાગી શકે છે સમય
ADVERTISEMENT
આ પહેલા ગુરુવારે હોસ્પિટલના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને લતા મંગેશકરના સ્વાસ્થ્યને લગતા સમાચાર આપ્યા હતા. જે મુજબ એવું કહેવામાં આવ્યું હતું કે, તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ તેમને સંપૂર્ણ રીતે સ્વસ્થ થવામાં થોડો સમય લાગશે. લતાજીને ન્યૂમોનિયા અને ચેસ્ટ ઈન્ફેક્શન થયું છે. આ બીમારીમાં રિકવર થતાં સમય લાગે છે.
યુવા પેઢીમાં પણ ખૂબ જ પોપ્યુલર છે લતાજીના ગીતો
ADVERTISEMENT
લતા મંગેશકર 90 વર્ષના છે. વધતી ઉંમરની સાથે આરોગ્ય સંબંધિત રોગોને લીધે તે આજકાલ અસ્વસ્થ છે. લતા મંગેશકરે ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. તેમને કોકિલ કંઠીનો ટેગ આપવામાં આવ્યો છે. લતા મંગેશકરનાં ગીતો આજની યુવા પેઢીમાં પણ ખૂબ જ પોપ્યુલર છે. લતાજી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ એક્ટિવ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.