બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / health try these drinks in the morning to reduce bloating

હેલ્થ ટિપ્સ / એસિડીટી અને બ્લોટિંગથી છો પરેશાન? તો આ 5 પ્રકારના ડ્રિંક્સ પીવાના શરૂ કરો, મળશે રાહત

Manisha Jogi

Last Updated: 06:48 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં બદલાતી લાઈફસ્ટાઈલને કારણે પાચન સંબંધિત સમસ્યા થાય છે. જેના કારણે પેટમાં દુખાવો થાય છે. અનેક વાર લોકોને સવારે ઉઠ્યા પછી પાચન સંબંધિત સમસ્યા થાય છે.

  • બદલાતી લાઈફસ્ટાઈલને કારણે પાચન સંબંધિત સમસ્યા થાય છે
  • જેના કારણે પેટમાં દુખાવો થાય છે
  • સવારે ઉઠ્યા પછી પાચન અનેક લોકોને આ સમસ્યા થાય છે

આજના સમયમાં બદલાતી લાઈફસ્ટાઈલને કારણે પાચન સંબંધિત સમસ્યા થાય છે. અનેક વાર ભોજન યોગ્ય રીતે ના પચવાને કારણે બ્લોટિંગ થવા લાગે છે. જેના કારણે પેટમાં દુખાવો થાય છે. અનેક વાર લોકોને સવારે ઉઠ્યા પછી પાચન સંબંધિત સમસ્યા થાય છે. તમને પણ વારંવાર બ્લોટિંગની સમસ્યા થાય છે, તો તમે આ અસરદાર ડ્રિંક્સનું સેવન કરી શકો છો. આ ડ્રિંક્સનું સેવન કરવાથી પેટની સમસ્યાથી રાહત મળશે. 

જીરા વોટર
જીરાના પાણીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જેથી બોડી ડિટોક્સ થાય છે, ઉપરાંત કાર્મિનેટીવની અસરના કારણે પેટ ઠંડુ રહે છે. સવારે ભૂખ્યા પેટે જીરા વોટરનું સેવન કરવાથી સોજો, એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે. 

હળદરની ચા
વર્ષોથી હળદર ચિકિત્સા પદ્ધતિનો એક હિસ્સો રહી છે. હળદરનો ઉપયોગ કરવાથી પાચન સંબંધિત સમસ્યાથી રાહત મળી શકે છે. આ ચા બનાવવા માટે ગરમ પાણીમાં હળદર, આદુ, મરી અને મધ મિશ્ર કરો. આ ચાનું સેવન કરવાથી બ્લોટિંગની સમસ્યા દૂર થાય છે. 

આદુ અને લીંબુની ચા
અનેક લોકોની સવારની શરૂઆત ચાથી થાય છે. દૂધવાળી ચાની જગ્યાએ આદુ અને લીંબુની ચાનું સેવન કરવાથી એસિડિટી અને અપચાથી રાહત મળી શકે છે. આ ચા આંતરડા સંબંધિત સમસ્યા માટે કારગર ઈલાજ માનવામાં આવે છે. 

પુદિના ડ્રિંક
કાકડી, પુદિનો અને લીંબુની ડ્રિંક બનાવીને તેનું સેવન કરવાથી બ્લોટિંગથી રાહત મળે છે. પુદિનાથી પેટ ઠંડુ રહે છે. ખીરા અને લીંબુથી શરીર ડિટોક્સીફાય થાય છે. તેમાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ ગુણ આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. 

સિંધાલુ મીઠાનું પાણી
સિંધાલુ મીઠાને પિંક સોલ્ટ પણ કહેવામાં આવે છે. તમે સિંધાલુ મીઠાના પાણીનું સેવન કરીને દિવસની શરૂઆત કરી શકો છો. જે માટે પાણીમાં આદુ નાખીને તેને ઉકાળો, હવે તેમાં મીઠું અને મધ મિશ્ર કરો. આ ડ્રિંક હુંફાળું થાય પછી તેનું સેવન કરી શકો છો. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ