બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Manisha Jogi
Last Updated: 06:48 PM, 2 September 2023
આજના સમયમાં બદલાતી લાઈફસ્ટાઈલને કારણે પાચન સંબંધિત સમસ્યા થાય છે. અનેક વાર ભોજન યોગ્ય રીતે ના પચવાને કારણે બ્લોટિંગ થવા લાગે છે. જેના કારણે પેટમાં દુખાવો થાય છે. અનેક વાર લોકોને સવારે ઉઠ્યા પછી પાચન સંબંધિત સમસ્યા થાય છે. તમને પણ વારંવાર બ્લોટિંગની સમસ્યા થાય છે, તો તમે આ અસરદાર ડ્રિંક્સનું સેવન કરી શકો છો. આ ડ્રિંક્સનું સેવન કરવાથી પેટની સમસ્યાથી રાહત મળશે.
જીરા વોટર
જીરાના પાણીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જેથી બોડી ડિટોક્સ થાય છે, ઉપરાંત કાર્મિનેટીવની અસરના કારણે પેટ ઠંડુ રહે છે. સવારે ભૂખ્યા પેટે જીરા વોટરનું સેવન કરવાથી સોજો, એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે.
હળદરની ચા
વર્ષોથી હળદર ચિકિત્સા પદ્ધતિનો એક હિસ્સો રહી છે. હળદરનો ઉપયોગ કરવાથી પાચન સંબંધિત સમસ્યાથી રાહત મળી શકે છે. આ ચા બનાવવા માટે ગરમ પાણીમાં હળદર, આદુ, મરી અને મધ મિશ્ર કરો. આ ચાનું સેવન કરવાથી બ્લોટિંગની સમસ્યા દૂર થાય છે.
આદુ અને લીંબુની ચા
અનેક લોકોની સવારની શરૂઆત ચાથી થાય છે. દૂધવાળી ચાની જગ્યાએ આદુ અને લીંબુની ચાનું સેવન કરવાથી એસિડિટી અને અપચાથી રાહત મળી શકે છે. આ ચા આંતરડા સંબંધિત સમસ્યા માટે કારગર ઈલાજ માનવામાં આવે છે.
પુદિના ડ્રિંક
કાકડી, પુદિનો અને લીંબુની ડ્રિંક બનાવીને તેનું સેવન કરવાથી બ્લોટિંગથી રાહત મળે છે. પુદિનાથી પેટ ઠંડુ રહે છે. ખીરા અને લીંબુથી શરીર ડિટોક્સીફાય થાય છે. તેમાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ ગુણ આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે.
સિંધાલુ મીઠાનું પાણી
સિંધાલુ મીઠાને પિંક સોલ્ટ પણ કહેવામાં આવે છે. તમે સિંધાલુ મીઠાના પાણીનું સેવન કરીને દિવસની શરૂઆત કરી શકો છો. જે માટે પાણીમાં આદુ નાખીને તેને ઉકાળો, હવે તેમાં મીઠું અને મધ મિશ્ર કરો. આ ડ્રિંક હુંફાળું થાય પછી તેનું સેવન કરી શકો છો.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime