બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હાર્ટ એટેક આવશે ખબર કેવી રીતે પડે? શરીર આપે છે આ સંકેત, જાણી લેશો તો બચી જશો
Last Updated: 09:33 AM, 11 February 2025
હાર્ટ એટેકનું નામ સાંભળતાં જ લોકો ફફડી જતાં હોય છે. તાજેતરમાં જ ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર માયા ભાઈ આહિરને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવ્યા પહેલા શરીર અમુક સંદેશ આપે છે. જો તમારે પણ હાર્ટ એટેક આવી રહ્યો છે તેના વિષે અગાઉથી જાણવું છે તો હાર્ટ એટેકના સંકેતો જાણવા જરૂરી છે.
ADVERTISEMENT

હેલ્થ એક્સપર્ટસ જણાવે છે કે હાર્ટ એટેકનું મુખ્ય કારણ વધતું વજન, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, ખરાબ લાઈફસ્ટાઈલ અને હાઈ બીપી છે. જે વ્યક્તિને હાર્ટ એટેક આવવાનો હોય છે તેનું શરીર અગાઉ જ તેને કેટલાંક સંકેતો આપતું હોય છે. તો ચાલો આ સંકેતો વિશે વિગતે માહિતી મેળવીએ.
ADVERTISEMENT
અસામાન્ય ધબકારા
જો તમારા હૃદયના ધબકારા થોડી સેકંડથી વધુ સમય માટે અસામાન્ય થઈ રહ્યાં છે તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો. આ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.
ADVERTISEMENT
છાતીનો દુખાવો
છાતીની ડાબી બાજુનો દુખાવો પણ હાર્ટ એટેકનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે. જો તમને હાર્ટ બ્લોકેજ હોય અથવા જો તમને હાર્ટ એટેક આવી રહ્યો હોય છાતીમાં દુખાવો અનુભવાય છે. એવામાં તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ADVERTISEMENT
ખભામાં દુખાવો
જો તમને તમારા ખભામાં ખાસ કરીને ડાબા ખભામાં કોઈ ઈજા વગર સતત દુખાવો થતો હોય તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.
ADVERTISEMENT

પુષ્કળ પરસેવો થવો
ADVERTISEMENT
જો તમારું શરીર કસરત કર્યા વિના અથવા એસીમાં હોવા છતાં વધારે પડતો પરસેવો કરે છે તો તે હાર્ટ એટેકનું લક્ષણ પણ હોઈ શકે છે.
સતત ઉલટી આવવી
ઉલટી થવાના ઘણાં કારણો હોઈ શકે છે, પરંતુ જો તમને વારંવાર ઉલટી અને પેટમાં દુખાવો થતો હોય તો થોડી સાવધાની રાખવાની જરૂર છે.
શ્વાસ લેવામાં તકલીફ
જો તમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
વધુ વાંચો:'વડીલો મને માફ કરજો..' ચાલુ ડાયરામાં માયાભાઈ આહીર છાતીમાં દુખાવો થતાં શું બોલ્યા?
નબળાઈ અને હાથ-પગ ઠંડા પડવા
જો તમે વધુ નબળાઈનો અનુભવ થઈ રહ્યો છો અને તમારા હાથ અને પગ પણ ધીમે ધીમે ઠંડા થઈ રહ્યાં છે તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.