બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મમતા બેનરજીને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો, ઋતબ્રત બેનરજી હશે બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા
Last Updated: 01:25 PM, 18 June 2026
મમતા બેનર્જી સરકારને કોલકાતા હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા (LoP) પદ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે, કોર્ટે હાલ માટે સ્પીકરના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. પરિણામે, ઋતબ્રત બેનર્જી વિપક્ષના નેતા તરીકે ચાલુ રહેશે અને સ્પીકર રથિન બસુનો નિર્ણય અમલમાં રહેશે, કારણ કે કોર્ટે સ્પીકરના ચુકાદામાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે.
ADVERTISEMENT
જસ્ટિસ કૃષ્ણા રાવે કહ્યું કે ,આ મામલામાં આગામી સુનાવણી 28 જુલાઈના રોજ થશે. તેમણે તમામ પક્ષોને આગામી સુનાવણી પહેલાં તેમના સોગંદનામા દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાઇકોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું કે, આ અદાલતને અરજદારના કેસમાં વચગાળાનો આદેશ આપવા માટે કોઈ પ્રથમ દૃષ્ટિએ કેસ અથવા સુવિધા સંતુલન મળ્યું નથી. તેથી, વચગાળાના આદેશ માટેની વિનંતી નકારી કાઢવામાં આવે છે."
હકીકતમાં, વિધાનસભા અધ્યક્ષ દ્વારા ઋતબ્રત ભટ્ટાચાર્યને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. અરજદાર - ટીએમસી ધારાસભ્ય અને મમતા બેનર્જીના નજીકના સહયોગી સોવનદેવ ચટ્ટોપાધ્યાયએ સ્પીકરના નિર્ણય પર વચગાળાનો સ્ટે માંગવા માટે કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી.
ADVERTISEMENT

સુનવણી દરમિયાન કોર્ટે શું કહ્યું?
ADVERTISEMENT
બુધવારે, કોર્ટે સ્પીકર તરફથી હાજર રહેલા એડિશનલ એડવોકેટ જનરલ બિલ્વદલ ભટ્ટાચાર્યને પૂછ્યું કે, 9 મેના રોજ મળેલા પત્ર પર સ્પીકરે નિર્ણય કેમ લીધો નથી, જેમાં સોવનદેવ ચટ્ટોપાધ્યાયને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ હતો.
કોર્ટે ધ્યાન આપ્યું કે સ્પીકરે તે અરજી પર કોઈ કાર્યવાહી કરી ન હતી, પરંતુ તેમણે 3 જૂનના રોજ બાગી ગુટ તરફથી મળેલા બીજા પત્ર પર કાર્યવાહી કરી અને ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા જાહેર કર્યું.
ADVERTISEMENT
કોર્ટે એવો પણ પ્રશ્ન કર્યો હતો કે, શા માટે સ્પીકર દ્વારા કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી કે પહેલી અરજીને કેમ અવગણવામાં આવી, જ્યારે બીજી અરજી લગભગ તરત જ સ્વીકારવામાં આવી.

ADVERTISEMENT
ટીએમસીની હાર બાદ બદલ્યો સિયાસી સમીકરણ
વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ, પક્ષના વિધાનસભા પક્ષમાં એક અણબનાવ ઉભો થયો. પક્ષના મોટાભાગના ધારાસભ્યો 'બાગી' બની ગયા. પક્ષના નેતૃત્વએ વરિષ્ઠ નેતા સોવનદેવ ચટ્ટોપાધ્યાયને વિધાનસભા પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, પક્ષના નિર્ણયને અવગણીને, ઋતબ્રતને 58 ધારાસભ્યોનો ટેકો મળ્યો અને તેઓ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા. આ પહેલા 1 જૂનના રોજ, તૃણમૂલ નેતૃત્વએ 'પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ'ના આરોપમાં ઋતબ્રતને પક્ષમાંથી કાઢવાનો નિર્ણય લીધો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બેકાબૂ કાર ખીણમાં ખાબકી, મુંડન સમારોહથી પરત ફરતા એક જ ગામના સાત લોકોના મો*ત
ટીએમસીના ઘણા ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે સ્પીકરને સુપરત કરાયેલા દસ્તાવેજ પર તેમની સહીઓ બનાવટી હતી, જેમાં સોવનદેવ ચટ્ટોપાધ્યાયની વિપક્ષના નેતા તરીકે નિમણૂકને સમર્થન આપવામાં આવ્યું હતું. આનાથી એક મોટો વિવાદ થયો જે હવે સીઆઈડી તપાસનો કેન્દ્ર બન્યો છે. એક તપાસ જેમાં મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી પણ સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.