બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 11ના મોત, 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, આ ગંભીર બીમારીએ આખું રાજ્ય માથે લીધું, જાણો લક્ષણો

Health Alert / 11ના મોત, 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, આ ગંભીર બીમારીએ આખું રાજ્ય માથે લીધું, જાણો લક્ષણો

Priyankka Triveddi

Last Updated: 12:27 PM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં ઓડિશામાં કોલેરાનો રોગ વકરતા રાજ્યના 30 જિલ્લાઓમાં પરીક્ષણ વધારવામાં આવ્યું છે. ત્યારે પાણીથી વકરતા આ જીવલેણ રોગ વિશે જાણીએ.

Diarrhea Causes: ઓડિશામાં આ સમયે કોલેરાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. રાજ્ય સરકારે મંગળવારે આ અંગે સમીક્ષા બેઠક પણ યોજી છે. રાજ્યના 30 જિલ્લાઓમાં આ અંગે એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને પરીક્ષણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. કેસોમાં થયેલા વધારાથી ચિંતા વધી છે. જોકે હાલમાં રાજ્યમાં કોલેરા અંગે ચેતવણી અને સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેથી દર્દીઓની સંખ્યા પર નિયંત્રણ કરી શકાય. દરિયાકાંઠાના વિસ્તારોમાં કોલેરાને કારણે અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે અને ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2000 છે. ત્યારે ચાલો જાણીએ કે આ કોલેરા શું છે?

કોલેરા શું છે?

ઝાડા અથવા કોલેરા એ સ્વચ્છતા (hygiene) લગતી સમસ્યા છે. આમાં દૂષિત પાણી અથવા ખોરાકને કારણે વ્યક્તિને ઝાડા થાય છે. કોલેરાના ઝાડા સામાન્ય પણ પાતળા પાણી જેવા થાય છે જે જીવલેણ પણ બની શકે છે. વાસ્તવમાં કોલેરામાં ઝાડા એટલા બધા થાય છે કે દર્દીના શરીરમાં પોષણના અભાવ સાથે ડિહાઇડ્રેશન પણ થાય છે. ક્યારેક ખૂબ જ ગંભીર કોલેરાના કિસ્સામાં દર્દીને ઉલટી પણ થવા લાગે છે.

diariya-3

કોલેરા કેમ ફેલાય છે?

કોલેરા મુખ્યત્વે એવા વિસ્તારોમાં ફેલાય છે જ્યાં સ્વચ્છ પાણી અને શૌચાલયની સુવિધા નથી. એક ક્લિનિકના અહેવાલ મુજબ ભૂકંપ અને પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં આવા રોગો વ્યાપકપણે ફેલાય છે. વિશ્વના ઘણા દેશોમાં કોલેરા સામાન્ય હોવા છતાં એશિયામાં ચેપનો રેશિયો વધુ છે.

કોલેરા કેવી રીતે થાય છે?

કોલેરા V. cholerae નામના બેક્ટેરિયાથી થાય છે. આ બેક્ટેરિયા પાણીમાં રહે છે. જો કોઈ વ્યક્તિ આ દૂષિત પાણીના સંપર્કમાં આવે છે તો આ બેક્ટેરિયા તેના આંતરડામાં સ્થાયી થાય છે અને તેને બીમાર કરે છે. આનાથી ઝાડા થાય છે. અને તે છીંક કે ખાંસી દ્વારા તેના બેક્ટેરિયા બીજા વ્યક્તિને ચેપ લગાડે છે.

toilet new logo

કોલેરાના લક્ષણો

  • ઉલટી થવી
  • વધુ પડતી તરસ લાગવી
  • થાક લાગવો
  • સ્નાયુઓમાં ખેંચાણ અથવા નબળાઈ
  • ચક્કર આવવા
  • ખૂબ ઓછો પેશાબ આવવો
  • ઝડપી હૃદયના ધબકારા

વધુ વાંચો: ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોથી કેવી રીતે બચવું? જાણો 5 જરૂરી ટિપ્સ

vtv app promotion

બચાવના ઉપાય

  • સૌ પ્રથમ સ્વચ્છતાનું ધ્યાન રાખો.
  • દૂષિત ખોરાક કે પાણી ન પીવો
  • દૂષિત વિસ્તારોમાં જવાનું ટાળો
  • જો તમે અસરગ્રસ્ત વિસ્તારથી અથવા બહારથી ઘરે આવી રહ્યા છો તો સૌ પ્રથમ તમારા હાથ સાફ કરો.

Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cholera cases increasing Hygiene and health tips Diarrhoea causes and prevention
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ