બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Arohi
Last Updated: 01:58 PM, 31 August 2023
વજન ઓછુ કરવું એક મોટો પડકાર છે. વજન ઓછુ કરવા માટે સૌથી પહેલા ભુખ પર કંટ્રોલ કરવો પડે છે. જો તમે પહેલાની જેમ જ ભોજન લેશો તો વજન ઓછુ નહીં કરી શકો. ઘણા લોકોનું માનવું છે કે ભૂખ પર કંટ્રોલ કરવા માટે વધારે પાણી પીવું ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. વધારે પણી પીને વધારે કેલેરીને બર્ન કરી શકાય છે અને તેનાથી ભૂખ પણ નથી લાગતી. અમુક અભ્યાસમાં પણ આ વાત સામે આવી છે કે વધારે પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ શું વધારે પાણી પીને આપણે વજનને ઘટાડી શકીએ છીએ?
વધારે પાણી પીવાથી ઘટે છે વજન?
એક્સપર્ટ અનુસાર અમુક લોકો વજન ઓછુ કરવા માટે વોટર ફાસ્ટિંગ કરે છે. તેમાં પાણી સિવાય કંઈ નથી લેતા. તેનાથી વજન ઓછુ થઈ શકે છે પરંતુ અન્ય ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે. અચાનક શરીરમાં વધારે પાણી આવવાથી સોડિયમ ઘટી શકે છે. તેનાથી સડેન ડેથ પણ થઈ શકે છે. થોડા સમય પહેલા એક સેલીબ્રિટીનું મોત આ કારણે થયું હતું.
માટે વોટર ફાસ્ટિંગ કરવું વધારે સારો વિકલ્પ નથી. જો આ કોઈ નિષ્ણાંતની દેખરેખ હેઠળ કરવામાં આવે તો તેનાથી અપેક્ષિત પરિણામ મળી શકે છે. જો ભોજનની સાથે વધારે પાણી પીવામાં આવે તો એક હદ સુધી સ્થૂળતા ઓછી થઈ શકે છે. પરંતુ કોઈ પણ વસ્તુથી એકી ઝાટકે વજન ઓછુ નથ થઈ જતું. વજન ઘટતા વાર લાગે છે.
અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરવી જરૂરી
સ્થૂળતા માટે ભોજન, ફિઝિકલ એક્ટિવિટી ન કરવી, પુરતી ઉંઘ ન લેવી અને સ્ટ્રીસ વધારે જવાબદાર છે. માટે આ બધી વસ્તુઓ પર એક સાથે ધ્યાન આપીને સ્થૂળતા ઘટાડી શકાય છે. જ્યાં સુધી વધારે પાણી પીવાની વાત છે તો એ તો સોચ્ચસ વાત છે કે જ્યારે આપણે વધારે પાણી પીએ છીએ તો ખાવાની ઈચ્છા ઓછુ થઈ જાય છે અને જ્યારે આપણે ઓછુ ખાઈએ છીએ તો વજન પણ ઓછુ થાય છે.
શરીરની અંદર પોષણ ન જાય તો કેલેરી વધારે નથી મળતી. તેનાથી વજન ઓછુ થાય છે. તે રીતે જોઈએ તો એક હદ સુધી તેનાથી થોડુ વજન પણ ઓછુ થઈ શકે છે પરંતુ ફક્ત આજ એક વસ્તુથી સ્થૂળતાને ઓછી ન કરી શકાય. માટે બેસ્ટ ઓપ્શન એ છે કે સ્થૂળતા ઓછી કરવા માટે ઘણી વસ્તુઓ પર કામ કરવું જરૂરી છે.
રિસર્ચમાં પણ સામે આવી આ વાત
એક રિપોર્ટ અનુસર એક સ્ટડીમાં જાણવા મળ્યું કે જ્યારે એક વ્યક્તિએ પાણી વધારે પીધી તો 10 મિનિટની અંદર 24થી 30 ટકા સુધી કેલેરી બર્નની તીવ્રતા વધી ગઈ છે. એવુ લગભગ એક કલાક સુધી થતું રહ્યું. એક અન્ય સ્ટડીમાં જ્યારે વધારે વજન વાળી મહિલાઓ પર પ્રયોગ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે દિવસમાં 1 લીટરથી વધારે પાણી પીવાથી એક વર્ષની અંદર 2 કિલો વજન ઓછુ થઈ રહ્યું છે.
આ મહિલાઓને અન્ય કોઈ પણ પ્રકારની લાઈફસ્ટાઈલ સંબંધી ફેરફાર નથી કર્યા. બન્ને સ્ટડીમાં મળી આવ્યું કે અડધો લીટર પાણી પીવાથી લગભગ 23 કેલેરી વધારે બર્ન થાય છે. અમુક લોકોનો એવો પણ દાવો છે કે ભોજન ખાતા પહેલા પાણી પીવામાં આવે તો ભૂખ પણ ઓછી લાગે છે. આ એક હદ સુધી બરાબર હોઈ શકે છે પરંતુ દરેક વ્યક્તિ માટે આ યોગ્ય નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime