બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health insurance takers will benefit from IRDAI decision.
Vishal Khamar
Last Updated: 04:02 PM, 13 April 2024
હેલ્થ ઈન્શ્યોરન્સ આજે દરેક પરિવાર માટે જરૂરી બની ગયુ છે. જ્યારે કોઈ ગંભીર બીમારી થાય છે ત્યારે મોટો ખર્ચો થાય છે. જેથી ખીસ્સા પણ ખાલી થઈ જતા હોય છે, કેટલાક કિસ્સામાં દેવુ પણ થતુ હોય છે. પરંતુ જો તમે હેલ્થ ઈન્શ્યોરન્સ લીધેલો હોય તો તમને ફાયદો થાય છે. એવામાં હેલ્થ ઈન્શ્યોરન્સની રેગ્યુલેટરી બોડી IRDAIએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં પહેલાથી જ જે બીમારી હોય તેનો વેઈટિંગ પીરિયડ ઘટાડીને 36 મહિના કરી દેવામાં આવ્યો છે.
ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ વીમા કંપનીઓ માટે આ નિયમ ફરજીયાત કરી નાખ્યો છે. અગાઉ પહેલાની બીમારી માટેનો વેઈટિંગ પીરિયડ 48 મહિનાનો હતો તેને ઘટાડી 36 મહિના કરી દેવાયો છે. જો તમે હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લેવા જતા તો તમને તમારી પહેલાની બીમારી કે વર્તમાનમાં ચાલતા ઈલાજ વિશે પુછવામાં આવતુ. આ બીમારીને 4 વર્ષ એટલે કે 48 મહિના પછી જ કવર કરી શકાતી હતી. પરંતુ હવે તે 3 વર્ષ એટલે કે 36 મહિનામાં જ કવર કરી શકાશે.
IRDAIના આ નિર્ણયને ઘણા એક્સપર્ટ્સ આવકારી રહ્યા છે. તેઓના મતે હવે આસાનીથી PIDને ક્લેમ કરી શકાશે. PID વેઈટિંગ પીરિયડનો સમયગાળો 48થી ઘટાડી 36 મહિના કરવામાં આવતા હવે લોકો વીમા પોલિસી વધારે ખરીદશે તેવી સંભાવના જોવા મળી રહી છે. જેથી હેલ્થ ઈન્શ્યોરન્સ હોલ્ડરનું પ્રમાણ દેશમાં વધી શકે છે.
વધુ વાંચોઃ વોટ્સએપ બૅન થઈ જાય તો નો ટેન્શન, ફરી ચાલુ કરવા ફોલો કરો આ સ્ટેપ્સ
ઉલ્લેખનીય છે કે, ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ મોરેટોરિયમ વેઈટિંગ પીરિયડને પણ 8 વર્ષથી ઘટાડી 5 વર્ષ કરી દીધુ છે. આ નિર્ણયથી પણ ગ્રાહકોમાં વીમા પોલિસીને લઈ વિશ્વાસ વધશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime