બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Bijal Vyas
Last Updated: 07:47 PM, 27 July 2023
Health Tips: આજકાલ લોકો કામના પ્રેશરને કારણે ઘણા કલાકો સુધી એક જગ્યાએ બેસી રહે છે. આ રીતે, તમે કામ તો કરી લો છો, પરંતુ લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી હૃદય રોગનો ખતરો વધી જાય છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગનો ખતરો વધી જાય છે.
એક્સપર્ટ કહે છે કે, તમારે દર કલાકે ઓછામાં ઓછા 5-10 મિનિટ માટે ઉઠવું અને તમારા સ્નાયુઓને સ્ટ્રેચ કરવા જોઈએ. જો તમે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેશો તો તમને હ્રદય રોગની સાથે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ, એક જ જગ્યાએ સતત બેસી રહેવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે.
એથેરોસ્ક્લેરોસિસનો ખતરો
એથેરોસ્ક્લેરોસિસ તમારા શરીરની નસોને સંકોચે છે, જેના કારણે નસોમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે. તેને એથરોસ્ક્લેરોટિક કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ પણ કહેવામાં આવે છે જેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને પેરિફેરલ વેસ્ક્યુલર ડિસીઝ જેવી બીમારીઓનું જોખમ રહેલું છે.
ડીપ વેન થ્રામ્બોસિસ
લાંબા સમય સુધી બેસી રહેવાથી ડીપ વેઈન થ્રોમ્બોસિસ (DVT) થવાની શક્યતા વધી જાય છે. ડીપ વેઈન થ્રોમ્બોસિસ એક બ્લડ ક્લોટ છે જે શરીરની ઊંડી નસમાં બને છે. મોટાભાગના કિસ્સાઓમાં, આ ક્લોટનું પગ અથવા જાંઘમાં રચાય છે. જો ડીપ વેઈન થ્રોમ્બોસિસમાં બનેલો ક્લોટ પોતાની જગ્યાએથી હલી જાય છે, તો તે ફેફસાને નુકસાન પહોંચાડે છે.
હાઇ બ્લડ પ્રેશર
લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી બ્લડપ્રેશર વધે છે. શારીરિક પ્રવૃત્તિના અભાવ અને રક્ત પરિભ્રમણના અભાવને કારણે, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા બની જાય છે. હાર્ટ એટેકનું આ મુખ્ય કારણ છે. તેથી દરરોજ વ્યાયામ કરો અને પ્રયાસ કરો કે એક જગ્યાએ વધુ સમય સુધી બેસી ન રહો, વચ્ચે ચાલો. આનાથી બ્લડ પ્રેશર વધશે નહીં સાથે જ હૃદય રોગનું જોખમ પણ ઘટશે.
મેદસ્વીતાનો ખતરો
લાંબા સમય સુધી બેસી રહેવાથી ઓછી કેલરી બર્ન થાય છે. જેના કારણે વજન વધી શકે છે. વધુ વજન હોવાને કારણે હૃદય પર વધુ દબાણ આવે છે. આ સાથે, ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસનું જોખમ પણ છે. તેથી, નિયમિત વ્યાયામ અને સતત બેસવાનું ઇન્ટરવેલને ઘટાડીને, તમે વજનને નિયંત્રણમાં રાખી શકો છો, જેના કારણે તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime