બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health benefits of having early dinner raat ko jaldi khana khane ke fayde

હેલ્થ / રાત્રે વહેલું ખાવાથી થતાં અઢળક ફાયદા, વજનથી લઈ કબજિયાતમાં થશે ઘટાડો, 5 જાદુઇ લાભો

Dinesh

Last Updated: 10:42 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health News: રાત્રે સમયસર ખોરાક ખાવાથી ઊંઘ સારી આવે છે તેમજ ઊંઘવાનો પૂરતો સમય પણ મળે છે. જેથી તમે બીજા દિવસે તાજગી અનુભવી શકો

વડીલો હોય કે ડોક્ટર દરેક જણ રાત્રે વહેલા જમવાનું કહેતા હોય છે. તમે અવારનવાર સાંભળ્યું હશે કે મોડા જમવાથી બરાબર પચતું નથી અને ન તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આવો અમે તમને જણાવીએ કે, રાત્રિ ભોજનનો યોગ્ય સમય કયો અને વહેલા ભોજન લેવાથી તમારા સ્વાસ્થ્યને કેવી રીતે ફાયદો થાય છે

મોડી રાતે સુધી જાગનાર અને મોડા ઉઠનાર માટે માઠી ખબર, મોતનો સૌથી વધારે ખતરો |  Mathi Khabar, the biggest risk of death for those who stay up late and wake  up late

ઊંઘ સારી આવે
રાત્રે સમયસર ખોરાક ખાવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. જેનાથી તમને ઊંઘવાનો પૂરતો સમય પણ મળે છે. જેથી તમે બીજા દિવસે તાજગી અનુભવી શકો.

પાચનક્રિયા સારી થાય છે
વહેલું રાત્રિભોજન કરવાથી તમારા હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે. આ એક એવી સારી આદત છે જે તમારી પાચનક્રિયાને સુધારે છે. જેના કારણે ફેટ અને કોલેસ્ટ્રોલની સમસ્યા જોવા મળતી નથી.

2 કલાકનો સમયગાળો
જમવા અને ઉંઘવા વચ્ચેના સમયમાં 2 કલાકનો ગેપ હોવા જરૂરી છે. જમીને તરત જ ઉઘવાથી ખોરાક સારી રીતે પાચન થતો નથી, તેમજ ન તો સારી ઊંઘ આવે. રાત્રે મોડા ભોજન કરનારા લોકોને એસિડિટી અને પેટ દર્દની તકલીફ વધુ હોય છે. આ બીમારીથી બચવા માટે રાત્રે ટાઈમસર ભોજન લેવું જોઈએ.  

રાત્રે સૂતા પહેલા આટલા વાગ્યે અચૂકથી ડિનર કરી લેજો, નહીં તો સ્વાસ્થ્ય પર  થશે ભયંકર અસર, રિસર્ચમાં ખુલાસો | Eating late at night has bad effects on  health,Eat before 8 pm

વજન જળવાઈ રહે
જો તમે 10 કે 11 વાગ્યા સુધીમાં સૂઈ જાઓ છો, તો તમારે ચોક્કસપણે 8 કે 9 વાગ્યા સુધીમાં ડિનર કરવું જોઈએ. આ પછી તમે વોક કરી શકો છો. જેનાથી વજન ઘટાડવામાં સરળતા રહે છે. અમે તમને જણાવી દઈએ કે, રાત્રિનું ભોજન વહેલું ખાવાથી ખોરાકના પાચનમાં પણ મદદ મળે છે. આ તમારા પેટને મોટા થવાથી પણ રોકી શકે છે.

ડાયાબિટીસનું જોખમ ઘટાડે
જ્યારે શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી ત્યારે ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તમારે સૂવાના ઓછામાં ઓછા બે કલાક પહેલા ખોરાક લેવો જોઈએ. આ તમારા શરીરને ખોરાકને ગ્લુકોઝમાં પરિવર્તિત કરવાની અને ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે. જે ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ