બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / hardik-patel-organized-a-convention-in-vijapur

NULL / હાર્દિકનો હુંકાર..! વિજાપુરમાં પાટીદાર સિવાય કોઇ આવે તો તેને પાડી દેજો

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મહેસાણા: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પાટીદાર આંદોલન ચાલી રહ્યું છે સરકાર દ્વારા અનેક રીતે પાટીદારોને મનાવવાના પ્રયાસો હાથ ધરવા છતાં પાટીદારો કોઇજ મચક આપતા નથી. ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદાર આંદોલનના આગેવાન હાર્દીક પટેલ સહીતના તમામ કાર્યકરો વધુ જોમમાં આવી ગયા છે. 

સોમવારે સાંજે મહેસાણાના વિજાપુર ખાતે યોજવામાં આવેલ પાટીદાર અનામત આંદોલન સંમેલનમાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો અને પાટીદાર સમાજ આવ્યો હતો. ત્યારે ત્યાં હાર્દિક પટેલે વિજાપુર અને માણસાના આગેવાનો સાથે ખાસ બેઠક પણ યોજી હતી. ઉલ્લેખનીય છે કે મહેસાણામાં હાર્દીકના પ્રવેશ પર પાબંધી હોવાને કારણે આ સંમેલન વિજાપુર અને માણસાની બોર્ડર પર યોજાયુ હતુ. 

આ સંમેલનમાં હાર્દીક પટેલે જણાવ્યું હતુ કે જો મારા પપ્પા પણ ભાજપમાંથી ઉભા રહે ને તો પણ તમે ભાજપને મત ના આપતા. અમે પાટીદાર સમાજનું સ્વાભીમાન સાચવવા માંટે લડતા રહીશુ. આ સાથે હાર્દીકે એક એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે આગામી વિધાનસભાની ચુંટણીને લઇને પટેલ સિવાય કોઇ આવે તો તેને પાડી દેજો. આ સાથે તેણે ભાજપ દ્વારા તાજેતરમાં યાજાયેલ ગૌરવ યાત્રા અને ગૌરવ સંમેલન પર પણ આકરા પ્રહાર કર્યા હતાં.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ