ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમમાંથી બહાર થઈ ગયેલો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર પોતાની કારકિર્દી પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
હાર્દિક પટેલનો મહત્વનો નિર્ણય
વિજય હજારે ટ્રોફીમાં નહીં રમે
બરોડા ક્રિકેટ એસોસિએશનનો ઈ-મેલમાં થયો ખુલાસો
પંડ્યાએ બુધવાર (8 ડિસેમ્બર)થી શરૂ થઈ રહેલી સ્થાનિક વન-ડે ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. હવે તે મુંબઈમાં રિહેબિટેશન(સુધારણા) કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છે.
બરોડા ક્રિકેટ એસોસિએશનનો ઈ-મેલમાં થયો ખુલાસો
ખરેખર, બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) એ હાર્દિક પંડ્યાને ઈ-મેલ મોકલીને પૂછ્યું હતું કે શું તે વિજય હજારે ટ્રોફી માટે ઉપલબ્ધ છે. ત્યારે તેણે એક લીટીનો જવાબ મોકલ્યો છે કે 'તે રિહેબ પ્રોગ્રામ કરી રહ્યો છે'.
સર્જરી બાદ હાર્દિકની પીઠમાં તકલીફ
હાર્દિક પંડ્યા 2019થી પીઠમાં થયેલી તકલીફથી પરેશાન છે. 2019માં તેમણે સર્જરી પણ કરાવી હતી, પરંતુ તે બોલિંગ માટે સંપૂર્ણ રીતે ફિટનેસ પ્રાપ્ત કરી શક્યો નથી. માનવામાં આવી રહ્યું છે કે, રિહેબ પ્રોગ્રામમાં તે પીઠને મજબૂત કરવામાં જોતરાયો છે. હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યાએ બરોડા કેમ્પ જોઈન કરી લીધો છે. બરોડા ક્રિકેટ સંઘે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કેમ્પમાં તે ખેલાડી જ સામેલ થઈ શકે છે જે કેમ્પમાં હાજર રહેશે.
ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા વગર વાપસી શક્ય નથી
હાર્દિકને ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે વેલા-મોડા ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે. BCCIએ ટીમ બહાર રહેલા ખેલાડીઓને નિર્દેશ આપ્યા છે કે, તેઓ વિજય હજારે ટ્રોફી અને રણજી ટ્રોફી જેવી સ્થાનિક ટૂર્નામેન્ટ રમીને પોતાનું ફોર્મ અને ફિટનેસ હાંસલ કરે.