બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના સગીરા અપહરણ કેસમાં નવો વળાંક, પાટીદારો મેદાને આવતા કમિશનરે લીધો મોટો નિર્ણય
Last Updated: 03:42 PM, 2 January 2026
Surat Sagira Apharan Case: સુરતના સરથાણા વિસ્તારમાંથી 17 વર્ષીય સગીરાનું અપહરણ થઈ જતાં અને તે 35 દિવસથી ગુમ હોવાના લીધે સગીરાના ભાઈએ પાટીદાર સમાજ પાસેથી મદદ માંગી હતી. જેના પગલે સુરતમાં પાટીદાર સેવ સંઘ દ્વારા તિરૂપતિ સોસાયટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દીકરી જે તેના કાકાન ઘરે રહીને અભ્યાસ કરતી હતી તેમણે દીકરી 35 દિવસથી ગુમ હોવાની જાણ કરી હતી. આ બેઠક પછી મોટી સંખ્યામાં પાટીદારો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દીકરીના માં બાપ અને પરિવાર ગામડે રહે છે.
ADVERTISEMENT
પાટીદાર સમાજના આગેવાનોએ બેઠક પછી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા પછી દીકરીની વહેલી તકે ભાળ મળે અને દીકરીને શોધવાનું કામ ઝડપી બને તે માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરવાની વાત કરી છે. આટલું જ નહીં પણ આરોપીને જલ્દીથી પકડીને તેના પર વિશેષ ગુનો દાખલ કરવામાં આવે તેવી પણ માંગ સમાજ દ્વારા કરવામાં આવી છે. આ પાટીદાર સમાજે આરોપીનો ફોન 5 દિવસ સુધી ચાલુ હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં થઈ હોવાના આક્ષેપો લગાવ્યા છે.
ADVERTISEMENT
![surat-sagira]](https://beta.vtvgujarati.com/media/images/surat-sagira.width-800.jpg)
ADVERTISEMENT
પાટીદાર સમાજે 35 દિવસથી 17 વર્ષીય સગીરા ગાયબ હોવા છતાં કોઈ એક્શન ના લેવાતા તેના માટે જવાબદાર પોલીસ અધિકારી પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. એટલું જ નહીં મિટિંગમાં હાજર રહેલા તમામ લોકો સરથાણા પોલીસ સ્ટેશન જવાબ લેવા પહોંચ્યા હતા અને એટલું જ નહિ સમાજના ઉગ્ર વિરોધ પછી ફરિયાદના 35 દિવસ પછી પણ પોલીસની નિષ્ક્રિય કામગીરીને લઈને પાટીદાર સમાજના લોકોએ પોલીસ સ્ટેશનમાં ઘેરાવો કર્યો હતો અને આટલું જ નહિ પણ આ વિરોધ ઉગ્ર બનતા સુરત પોલીસ કમિશનરે સરથાણાના PI પાસેથી આ તપાસ આંચકી લીધી છે અને 17 વર્ષીય સગીરાને તાત્કાલિક શોધી શકાય તે માટે તાત્કાલિક અસરથી તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી મુજબ વાત એમ છે કે 17 વર્ષની સગીરા સુરતમાં સરથાણા વિસ્તારમાં તેના કાકા સાથે રહીને અભ્યાસ કરે છે અને તેના માતા પિતા ગામડે રહે છે. આશરે 35 એક દિવસ પહેલા કોઈ અજાણ્યો શખ્સ તેને લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ગયો હોવાની વાટ પરિવારજનો કરી રહ્યા છે. 35 દિવસથી દીકરી ગુમ હોવાને લીધે પરિવાર દ્વારા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ એક મહિનો વિતવા છતાં દીકરીની કોઈ ભાળ મળી નથી. મળતી માહિતી મુજબ આ 17 વર્ષીય દીકરીનું અપહરણ બે સંતાનના પિતાએ કર્યું હોવાનું કહેવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.