બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આનંદનગરની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર જાગ્યું! વેરિફિકેશન વગરના 57 ગાર્ડને છૂટા કરાયા
Last Updated: 03:59 PM, 16 August 2026
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં બનેલી દુષ્કર્મની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી તંત્ર દ્વારા કેમ્પસની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પગલાં લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
57 સિક્યુરિટી ગાર્ડને ફરજ પરથી દૂર કર્યા
મળતી માહિતી મુજબ, ગુજરાત યુનિવર્સિટીએ પોલીસ વેરિફિકેશન ન થયેલા 57 સિક્યુરિટી ગાર્ડને ફરજ પરથી દૂર કર્યા છે. તેમની જગ્યાએ પોલીસ વેરિફિકેશન પૂર્ણ થયેલા નવા 57 સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરવામાં આવી છે.
ADVERTISEMENT
51 રિટાયર્ડ આર્મી જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા
ADVERTISEMENT
આ ઉપરાંત, યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે 51 રિટાયર્ડ આર્મી જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ પગલાંનો હેતુ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ અને અન્ય લોકોની સુરક્ષા વધુ સુદૃઢ કરવાનો છે.
પ્રાથમિકતા આપીને સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર
ADVERTISEMENT
આનંદનગરની ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થા, ગાર્ડની નિમણૂક અને પોલીસ વેરિફિકેશન અંગે પણ સવાલો ઊભા થયા હતા. હવે યુનિવર્સિટી તંત્ર દ્વારા વેરિફિકેશન પ્રક્રિયાને પ્રાથમિકતા આપીને સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ વલસાડમાં NH-48ની ખખડધજ હાલત, ખાડાઓથી વાહનચાલકો પરેશાન
ADVERTISEMENT
નવા સિક્યુરિટી ગાર્ડની નિમણૂક અને રિટાયર્ડ આર્મી જવાનોની તૈનાતી બાદ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં સુરક્ષાના ધોરણોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.