બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / UGCએ ગુજરાતની 4 યુનિવર્સિટીને ફટકારી નોટિસ, 30 દિવસમાં ખુલાસો માગ્યો

કાર્યવાહી / UGCએ ગુજરાતની 4 યુનિવર્સિટીને ફટકારી નોટિસ, 30 દિવસમાં ખુલાસો માગ્યો

Jay Bhatt

Last Updated: 09:47 AM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UGC Notice to Universities : યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ મોટી કાર્યવાહી કરતા દેશભરની ખાનગી તેમજ સરકારી યુનિવર્સિટીને નોટિસ ફટકારવામાં આવી છે. યુજીસીએ કુલ 89 નોટિસ ફટકારી છે જેમાં ગુજરાતની ચાર યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ ગુજરાતની ચાર સહિત દેશભરની 89 યુનિવર્સિટીને એન્ટીરેગિંગ ગાઈડલાઈનનું પાલન ન કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. આ યુનિવર્સિટીમાં સરકારી યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે. યુજીસીએ યુનિવર્સિટીઓ પાસેથી નોટિસનો 30 દિવસમાં ખુલાસો માગ્યો છે.

ગાઈડલાઈનનું પાલન ન કર્યું

નોંધનીય છે કે, UGC દ્વારા એન્ટી રેગિંગ ગાઇડલાઇન જાહેર કરીને તમામ યુનિવર્સિટીઓને તેનું પાલન કરવા તેમજ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓ પાસેથી એન્ટી રેગિંગ અંગેની પૂરતી વ્યવસ્થા અને સલામતી છે તેનું અંડર ટેકીંગ લઇને તમામ ડેટા સબમીટ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. આ માટે દરેક યુનિવર્સિટીને યુજીસીએ નિર્ધારિત સમય પણ આપ્યો હતો. જો કે, દેશની 89 યુનિવર્સિટીએ આ બાબતને ધ્યાનમાં લીધી ન હતી અને ગાઈડલાઈનનું પાલન કર્યું ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે.

Vtv App Promotion

આ 4 ગુજરાતની યુનિવર્સિટીને નોટિસ

UGC દ્વારા જે યુનિવર્સિટીને નોટિસ ફટકરાવામાં આવી છે તેમાં ગુજરાતની પણ 4 યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. આ ચાર યુનિવર્સિટીમાં અમદાવાદ ખાતે આવેલી ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટી SKIPS યુનિવર્સિટી તેમજ જામનગરની આયુર્વેદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ અને પાટણની એમ.કે. યુનિવર્સિટીને નોટિસ ફટકારવામાં આવી છે. આ તમામ યુનિવર્સિટીને 30 દિવસની અંદર ગાઈડલાઈનનું પાલન કરવાનું સૂચન કરવાનું રહેશે.

વધુ વાંચો : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ આ વિસ્તારમાં ખાબક્યો

UGCએ વિદ્યાર્થીઓ પાસેથી બાંહેધરી મેળવવા જણાવ્યું

આ ઉપરાંત સંસ્થાઓને એન્ટી રેગિંગ પાલન રજૂ કરવા અને કારણ બતાવો નોટિસની તારીખથી 30 દિવસની અંદર તમામ વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન બાંહેધરી મેળવવા માટે કહેવામાં આવ્યું છે. સંસ્થાઓ તેમના કેમ્પસમાં રેગિંગ અટકાવવા માટે અપનાવવામાં આવેલા પગલાં અંગે વ્યાપક અહેવાલ રજૂ કરવાનો રહેશે. જો યુનિવર્સિટીઓ આમ કરવામાં નિષ્ફળ રહેશે તો યુનિવર્સિટીની માન્યતા પાછી ખેંચવા સુધીની કાર્યવાહી પમ થઈ શકે છે. UGC એ કહ્યું છે કે, નોટિસને સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે લેવામાં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat UGC University Grants Commission
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ