ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજકોટમાં એર ઈન્ડિયાની ફ્લાઈટને લેન્ડિંગમાં મુશ્કેલી પડી, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

ઘટના / રાજકોટમાં એર ઈન્ડિયાની ફ્લાઈટને લેન્ડિંગમાં મુશ્કેલી પડી, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

Published By: Dinesh Chaudhary

Last Updated: 11:16 PM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં એર ઈન્ડિયાની ફ્લાઈટને લઈને મોટા સમાચાર સામે આવી છે, દિલ્લીથી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના લેન્ડિંગમાં મોડું થયું હતું.

ADVERTISEMENT

અમદાવાદમાં પ્લેન દૂર્ઘટના સર્જાઈ છે, જેમાં અનેક લોકોના મોત થયા છે. જો કે, ઘટનાને તો માત્ર 28 કલાક થયા છે ત્યાં તો રાજકોટમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં કંઈ ખામી સર્જાઈ હોય તેવી વિગતો ફરતી થઈ છે. જો કે, કોઈ દુર્ઘટના સર્જાઈ નથી. એર ઈન્ડિયાના વિમાને હવામાં જ 2 ચક્કર લગાવવા પડ્યા હતા અને ફ્લાઈટના લેન્ડિંગમાં થયું મોડું કર્યું હતું.

એર ઈન્ડિયાની ફ્લાઈટના લેન્ડિંગમાં મોડું થયું અને....

રાજકોટમાં એર ઈન્ડિયાની ફ્લાઈટને લઈને મોટા સમાચાર સામે આવી છે. દિલ્લીથી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના લેન્ડિંગમાં મોડું થયું હતું. એર ઈન્ડિયાના વિમાને હવામાં જ 2 ચક્કર લગાવવું પડ્યું હતું. વિમાનમાં અંદાજે 100 જેટલા મુસાફરો સવાર હતા. ત્યારે અમદાવાદ પ્લેન ક્રેશને લઈને મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો સર્જાયો હતો. અડધા કલાક પછી પ્લેનનું મોડેથી લેન્ડિંગ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

app promo3

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 4 ડોક્ટરોએ ગુમાવ્યા જીવ, કુલ 33 સ્ટુડન્ટ બન્યા ભોગ

અમદાવાદ પ્લેન ક્રેશમાં 270 લોકોના મોત

અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના પેસેન્જર્સ વિમાને ઉડાન ભરી અને માત્ર ગણતરીની સેકન્ડોમાં મહાવિનાશક બ્લાસ્ટ થયો હતો. જેમાં 270થી વધુ જિંદગી ભૂંજાઈ ગઈ છે. બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલના કેમસમાં મરણચીસો સંભળાઈ અને જોત-જોતામાં બધું જ નજરો સામે ખાક થઈ ગયું. માત્ર 50 સેકન્ડ, આ આખી ઘટના માત્ર 50 સેકન્ડમાં ઘટી, આ ઘટના પછી ગૃહમંત્રી તો રાત્રે જ અમદાવાદ પહોંચી ગયા હતા. જ્યારે પ્રધાનમંત્રી શુક્રવારે સવારે અમદાવાદ આવી પહોંચ્યા અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. કેવી રીતે દુર્ઘટના ઘટી તે અંગે માહિતી મેળવી. સાથે-સાથે ઘાયલ દર્દીઓ સાથે મુલાકાત કરી અને મૃતકોના પરિજનોને મળી તેમને સાંત્વના આપી પરંતુ આ ઘટના એટલી દુખદ છે કે, તેના ઘા સાંત્વનાથી પણ રુઝાય તેમ નથી. બસ પ્રાર્થના કરી શકીએ કે, ઈશ્વર મૃતકોના પરિવારોને આ દુખમાંથી ઉગરવામાં મદદ કરે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Air India in Rajkot Air India flight Rajkot News

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ