બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પશુંપાલકોના સમર્થનમાં આવ્યા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, કહ્યું નિયામકોને બે હાથ જોડી વિનંતી કરુ છું કે...
Last Updated: 04:55 PM, 14 July 2025
પશુપાલકોએ કરેલી અથડામણને લઈને ધવલસિંહ ઝાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે શુપાલકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું તે અયોગ્ય છે. તેમણે કહ્યું કે પશુપાલકોમાં ભાવફેરને લઈને આક્રોશ છે. ડેરીનું નિયામક મંડળ ઝડપથી આ બાબતે નિર્ણય લે તે જરૂરી છે. નિયામક મંડળ ઝડપથી ન નિર્ણય નહી લે તો આક્રોશ વધશે તેવું જણાવતા તેમણે કહ્યું કે પશુપાલકોને તેમના હકનો ભાવફેર મળવો જોઈએ.
ADVERTISEMENT
મહત્વનું છે કે સાબર ડેરી સામે હજારો પશુપાલકોનો વિરોધ ચાલી રહ્યો છે. હિંમતનગર-તલોદ મુખ્ય માર્ગ બંધ કરીને ખેડૂતોએ રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો છે. સાબર ડેરીના નિયામક મંડળ સામે પશુપાલકોમાં ભારે રોષ છે, અને તેઓ દૂધના ભાવમાં 20 થી 25%નો વધારો કરવાની માંગ કરી રહ્યા છે. આ વિરોધને કારણે સાબર ડેરીનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે, જ્યાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'મારા પપ્પા ઝવેરા પધરાવવા ગ્યાતા ને અંદર...', કેનાલમાં ડૂબ્યા બાદ પિતા માટે દીકરીનું કલ્પાંત રડાવી દેશે
ટોળાને કાબુમાં લેવા 50 જેટલા ટીયર ગેસના સેલ છોડાયા
સાબરકાંઠાના હિંમતનગરમાં સાબર ડેરીની બહાર પશુપાલકો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી. જેમાં ઉશ્કેરાયેલ ટોળાને નિયંત્રણમાં લેવા પોલીસે 50 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસ અને પશુપાલકો વચ્ચેના ઘર્ષણ બાદ 20 થી વધુ લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ટોળાએ પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરી હતી, જેના કારણે પોલીસના 4 જેટલા વાહનોને નુકસાન થયું હતું. તો ચારથી વધુ પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. પથ્થર મારાની ઘટનામાં આઠ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.