બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Photos: દ્વારકાના સમય દર્શનમાં મોટો ફેરફાર, દર્શને જતા પહેલા એકવાર નજર મારી લેજો

photo-story

7 ફોટો ગેલેરી

દેવભૂમિ દ્વારકા / Photos: દ્વારકાના સમય દર્શનમાં મોટો ફેરફાર, દર્શને જતા પહેલા એકવાર નજર મારી લેજો

Last Updated: 10:53 AM, 26 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Devbhoomi Dwarka: દ્વારકામાં જગતમંદિરમાં 28 જૂન માટે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટી તંત્રે આ અંગે એક પરિપત્ર જારી કર્યો છે.

1/7

photoStories-logo

1. જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર

Shree Dwarkadhish Temple, Dwarka: ગુજરાતના સૌથી પવિત્ર યાત્રાધામ દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં 28 જૂનના રોજ અષાઢી ત્રીજના દિવસે રથયાત્રા ઉત્સવને અનુલક્ષી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. (Photos: X)

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વહીવટી તંત્રનો પરિપત્ર

શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર અનુસાર, 28 જૂનના રોજ સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. આ પછી સવારના નિત્યક્રમ મુજબ દર્શ ચાલુ રહેશે. (Photos: X)

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. દર્શનના સમયમાં ફેરફાર

આ પછી બપોરે 1 થી 5 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. આ પછી સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન અને સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી મંદિર પરિસરમાં રથયાત્રા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. (Photos: X)

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. દર્શનનો સમય

દ્વારકાધીશ મંદિરના વહીવટી કચેરી દ્વારા જણાવ્યા અનુસાર, 7 વાગ્યા પછી સાંજના અન્ય ક્રમ નિત્ય મુજબના રહેશે. આ પછી રાતે 9.30 વાગે દર્શન બંધ કરી દેવામાં આવશે. (Photos: X)

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. રથયાત્રા ઉત્સવની ઉજવણી

ઉલ્લેખનીય છે કે 28 જૂન શનિવારે અષાઢી ત્રીજના રોજ જગતમંદિરમાં દ્વારકાધીશ ભગવાનના બાળ સ્વરૂપની રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવશે. આ ધાર્મિક પ્રસંગની પુષ્પ નક્ષત્ર અને ઉદયતિથિ અનુસાર ઉજવણી કરવામાં આવશે. (Photos: X)

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ચાંદીના રથમાં રથયાત્રા

સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી રથયાત્રા ઉત્સવમાં ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવશે. ત્યાર બાદ મંદિર પરિસરમાં મુખ્ય ગર્ભગૃહની ચારેબાજુ પરિક્રમા કરવામાં આવશે. (Photos: X)

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. મંદિર તંત્રની તૈયારીઓ

ચાંદીના રથમાં બિરાજમાન થઈને ભગવાન પરિક્રમા કરશે. મોટી સંખ્યામાં ભક્તો આ ઉત્સવમાં ભાગ લેશે. તેને લઈને મંદિર તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચાંદીના રથને શણગારવામાં આવી રહ્યો છે. (Photos: X)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jagat Mandir Dwarkadhish Temple Schedule Change Devbhoomi Dwarka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ