બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જુહાપુરામાં જમાઈ પર હુમલો, સાળા અને સસરા સહિતના લોકો ડંડા લઇને તૂટી પડ્યાં
Last Updated: 02:59 PM, 27 December 2025
અમદાવાદના જુહાપુરા રોડ પર આવેલા અંબર ટાવર નજીક જમાઈ અને સસરા વચ્ચે થયેલા પારિવારિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, સસરા અને સાળા સહિતના લોકોએ મળીને જમાઈને ઢોરમાર માર્યો. જુહાપુરા રોડ પર જાહેરમાં રસ્તા પર સસરા અને સાળાએ મળીને જમાઈને ડંડા લઈને માર માર્યો.
ADVERTISEMENT
આ ઘટના અંગે સામે આવેલી પ્રાથમિક વિગતો પ્રમાણે, પારિવારિક ઝઘડાને કારણે સસરાએ જમાઈને માર માર્યો. માહિતી પ્રમાણે, જમાઈ પત્નીને હેરાન કરતો હતો, જેથી સસરાએ જમાઈને ડંડા વડે માર માર્યો. પારિવારિક ઝઘડામાં રસ્તા પર જ હાથે હાથ ઝપાઝપી અને મારામારીની સ્થિતિ ઊભી થઈ હતી.

ADVERTISEMENT
મળતી વિગતો પ્રમાણે, સસરા, સાળા સહિતના લોકો જમાઈ પર તૂટી પડ્યા હતા અને માર માર્યો હતો. પરિવાર તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે જમાઈ પત્નીને હેરાન કરતો હતો. પત્નીને પરેશાન કરવાની બાબત સામે ગુસ્સામાં આવીને સસરા પક્ષે જમાઈને માર્યો હોવાની પ્રાથમિક વાત બહાર આવી રહી છે.
આ પણ વાંચો: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય, કહ્યું 'બાયકોટ કરાશે'
ADVERTISEMENT
ત્યારે આ મારામારીની ઘટના પછી જમાઈ અને સસરા બંને પક્ષે સામસામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.