જે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં સૌથી મોટા નામોમાં અંજુ શર્માની રોજગાર વિભાગમાં બદલી કરાઇ છે.
IAS અધિકારીઓની બદલી
77 IAS અધિકારીઓની બદલી
અંજુ શર્મામાં રોજગાર વિભાગમાં બદલી
ગુજરાતમાં અમલદારશાહીમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેમાં પહેલા ગુજરાતના સેક્રેટરી સ્તરના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી ત્યારે આજે એક સાથે 77 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
આખા ગુજરાતમાં ધરમૂળથી ફેરફાર
જે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં સૌથી મોટા નામોમાં અંજુ શર્માની રોજગાર વિભાગમાં બદલી કરાઇ છે જ્યારે GSRTCના MD એસ.જે.હૈદરની શિક્ષણ વિભાગમાં બદલી કરવામાં આવી છે. સુરતના ક્લેક્ટર ધવલ પટેલ ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે જ્યારે જામનગર કલેક્ટર રવિશંકરને SOUના વડા બનાવાયા છે. રાજકોટ ક્લેક્ટર રૈમ્યા મોહનની નેશનલ હેલ્થ મિશનમાં બદલી કરવામાં આવી છે.
VTVGujaratiએ પહેલા જ આપી હતી માહિતી
નોંધનીય છે કે VTVGujarati.com તાજેતરમાં જ બદલીઓને લઈને પહેલા જ અહેવાલ આપ્યા હતા કે પહેલા સેક્રેટરી લેવલ અને તે બાદ કલકેટર અને DDO કક્ષાના અધિકારીઓની મોટા પાયે બદલીઓ કરવામાં આવશે.