તાજેતરમાં 66મા નેશનલ એવોર્ડ વિનરના નામ જાહેર કરવામાં આવ્યા. જેમાં 2 ગુજરાતી ફિલ્મોને પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુજરાતી સાહિત્ય જગતના જાણીતા સર્જક ધ્રુવ ભટ્ટની નવલકથા 'તત્વમસિ' આધારિત 'રેવા' અને જાણીતા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર અભિષેક શાહ દ્વારા આકાર પામેલી 'હેલ્લારો'. આ બંન્ને ગુજરાતી ફિલ્મને નેશનલ એવોર્ડ મળતા સમગ્ર ગુજરાત માટે ગૌરવપ્રદ ઘટના બની છે.
નોંધનીય છે કે, રાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડનારી અને દેશની તમામ ભાષાઓની ફિલ્મોને માત આપીને 'બેસ્ટ ફીચર' ફિલ્મનો નેશનલ એવૉર્ડ જીતનારી ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'ને રૂપિયા 2 કરોડનાં ઇનામની સીએમ વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. તો 'બેસ્ટ ગુજરાતી ફિલ્મ'નો એવૉર્ડ જીતનારી 'રેવા’'ફિલ્મને રૂપિયા 1 કરોડ આપવામાં આપવાની જાહેરતા રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ એક ટ્વિટ કરીને લખ્યું કે, 'હું ગુજરાતી ફિલ્મ હેલ્લારો અને રેવાની ટીમને અભિનંદન પાઠવું છું. 'હેલ્લારો' અને 'રેવા'એ રાષ્ટ્રીય ફિલ્મનો સન્માનિત એવૉર્ડ પોતાના નામે કર્યો છે. આપણી સરકાર ઉત્તમ કક્ષાની ગુજરાતી ફિલ્મોને સપોર્ટ અને પ્રોત્સાહન આપે છે. આ આપણા માટે ગર્વની વાત છે કે ગુજરાતી સિનેમાએ આવું શ્રેષ્ઠ સન્માન મેળવ્યું છે.
I congratulate the teams of Gujarati movies #Hellaro and #Reva on winning prestigious awards at #NationalFilmAwards. Our Government also supports & encourages making of quality Gujarati movies. It's a matter of great pride that Gujarati Cinema has achieved a significant milestone
નોંધનીય છે કે, 'હેલ્લારો'ની કથા 1975ના કચ્છમાં આકાર લે છે. એક લોકકથા પર આધારિત આ ફિલ્મમાં કચ્છી મહિલાઓના સેલ્ફ-એક્સપ્રેશનની વાત છે. વ્યક્તિની દબાયેલી લાગણી જ્યારે અનપેક્ષિત રીતે સંગીતમય અભિવ્યક્તિ પામે છે ત્યારે 'હેલ્લારો' સર્જાય છે! કથાના કેન્દ્રમાં બાર નાયિકાઓ છે અને સંગીત આ ફિલ્મનો હીરો છે.
શું છે રેવા ફિલ્મની કહાની
With great pleasure and pride, Gujarat Govt announces the cash reward of Rs.2-crore to #Hellaro and Rs.1-crore to #Reva under Quality-based Gujarati Film Encouragement Policy-2016 on winning the Best Feature Film and Best Gujarati Film awards respectively at #NationalFilmAwards
'માં નર્મદા'ની પરીક્રમા કરાવતી આ ફિલ્મ ગુજરાતી સાહિત્ય જગતના જાણીતા સર્જક ધ્રુવ ભટ્ટની નવલકથા 'તત્વમસિ' પરથી બનેલી છે. ફિલ્મની વાર્તા અમેરિકાથી શરૂ થાય છે અને નર્મદાના તટ પર પૂરી થાય છે. આ ફિલ્મમાં મિલકતની વાત છે. શ્રદ્ધાની વાત છે. આ ફિલ્મમાં નર્મદા નદીના કાંઠે રહેતી આદિવાસી પરંપરા, આદિવાસી લોકજીવન અને આદિવાસી લોકકળાને આબેહૂપ રીતે રજૂ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર વાર્તાના કેન્દ્રમાં છે એક યુવાન, જે પોતાના સ્વાર્થ માટે નર્મદાના સંપર્કમાં આવે છે અને એ પછી એનું આખું જીવન બદલાઈ જાય છે. ફિલ્મ કે નોવેલ બેમાંથી જેના સંપર્કમાં પહેલીવાર આવ્યા હો, તે પછી બીજું વર્ઝન જાણવાની તાલાવેલી ટ્રિગર કરે તેવી આ સ્ટોરી છે.