કોરોના સંકટ / અમદાવાદ બાદ આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કરફ્યુની જાહેરાત

Gujarat corona crisis CM Rupani meeting dycm Nitin patel press conference

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે હાઇપાવર કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ બેઠક બાદ DyCM નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં પણ આવતીકાલથી રાત્રિ કરફ્યુ રહેશે. મહત્વનું છે કે, કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ