બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શું આ છે વિકાસ? જીવના જોખમે લોકો નદીમાંથી નનામી લઇ જવા મજબૂર, દ્રશ્યો રડાવી દેશે

photo-story

5 ફોટો ગેલેરી

લાચારી / શું આ છે વિકાસ? જીવના જોખમે લોકો નદીમાંથી નનામી લઇ જવા મજબૂર, દ્રશ્યો રડાવી દેશે

Last Updated: 02:32 PM, 2 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામે પુલની અછતથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં કિમ નદી પાર કરવી જીવના જોખમે સમાન બની જાય છે.

1/5

photoStories-logo

1. ડહેલી ગામે પુલ ના હોઈ લોકોને ભારે હાલાકી

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામે વિકાસની પોલ ખુલતા વાસ્તવિકતા સામે આવી છે. અહીં કિમ નદી પર પુલ ના હોવાને કારણે ગામલોકોને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વરસાદના સમયે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેને કારણે લોકોના રોજિંદા જીવનમાં ખલેલ ઊભી થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. નદી પાર કરવા જીવનું જોખમ લેવાય છે

આ વિસ્તારના ખાસ કરીને આદિવાસી સમાજના લોકો આજે પણ પુલ જેવી પ્રાથમિક સુવિધા વગર જીવન જીવી રહ્યા છે. ચોમાસામાં જો નદીમાં ઘોડાપૂર હોય અને કોઈ વ્યક્તિનું અવસાન થાય, તો અંતિમ સંસ્કાર માટે નદી પાર કરવી બહુ જ મુશ્કેલ બની જાય છે. લોકો કમરની ઊંચાઈએ પાણીમાં નનામી લઈને નદી પાર કરવા મજબૂર થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. હ્રદયદ્રાવક દ્રશ્ય સામે આવ્યુ

મંગળવારે સાંજે આવું જ હ્રદયદ્રાવક દ્રશ્ય સામે આવ્યું હતું, જ્યારે કેટલાક ગ્રામજનો પોતાના પ્રિયજનની નનામી લઈને ધસમસતા પાણીમાં જીવના જોખમે કિમ નદી પાર કરતાં નજરે પડ્યા હતા. આવા દ્રશ્યો માનવતા માટે શરમજનક ગણાય છે અને તંત્રના મોટો સવાલ ઉભો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વર્ષોથી ચાલી રહી છે રજૂઆત

ડહેલીના ગ્રામજનો અનુસાર, છેલ્લા ઘણા વર્ષોથી પુલ માટે ધારાસભ્યથી લઈને જિલ્લા તંત્ર સુધી રજૂઆત કરવામાં આવી છે. છતાં કોઈ યોગ્ય પગલું ભરવામાં આવ્યું નથી. તંત્રના આંધળા અને બહેરા વલણથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પુલ બનાવવાની તાકીદે માંગ

આદિવાસી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે, ઓછામાં ઓછું અંતિમ સંસ્કાર માટે નનામી લઈને લોકોને આવી હાલાકી ન ભોગવવી પડે અને જીવના જોખમે ક્રિયા ન કરવી પડે તે માટે પુલ અથવા ઓછામાં ઓછું નાળુ બનાવી શકે છે. આ એક માનવમર્યાદાનો પ્રશ્ન છે જેની તરફ તંત્રએ ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Kim river Bharuch Daheli village
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ