બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video: ભાદરવી પૂનમના મેળા વચ્ચે અંબાજીથી આવ્યા મોટા સમાચાર, પોલીસ હાંફળીફાંફળી થઇ ગઇ
Last Updated: 12:02 PM, 3 September 2025
ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજીથી એક મોટી ઘટના સામે આવી છે. મંગળવાર મોડી રાત્રે, જ્યારે લાખો યાત્રાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા હતા અને મંદિર બંધ થવાનો સમય નજીક હતો, ત્યારે એક યુવક અચાનક મંદિરના શિખર પર ચડી ગયો. આ ઘટના જોઈને યાત્રાળુઓ, સુરક્ષા સ્ટાફ અને પોલીસ બધાં ચોંકી ગયા હતા.
ADVERTISEMENT

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શિખર પર ચડનાર યુવક મનો દિવ્યાંગ છે. યુવક ધીમે ધીમે ચડીને શિખરના મધ્ય ભાગ સુધી પહોંચ્યો હતો અને ત્યાં સુવર્ણ શિખરના આંટા ફેરા પણ માર્યા હતા. આ દરમ્યાન નીચે ઉભેલા લોકોમાં હડકંપ મચી ગયો હતો. યાત્રાળુઓ માટે આ દ્રશ્ય આશ્ચર્યજનક અને ચિંતાજનક બંને બન્યું હતું.
ADVERTISEMENT
અંબાજી મંદિરમાં એક મનોદિવ્યાંગ યુવક ઉપર ચડી ગયો હતો પોલીસ અને ભક્તોએ મહામહેનતે ઉતાર્યો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 3, 2025
બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં યુવકે ઉત્પાત મચાવ્યો હતો. મનોદિવ્યાંગ યુવક મોડી રાત્રે મંદિરના શિખર પર ચઢ્યો હતો. યુવકને નીચે ઉતારવા માટે શ્રદ્ધાળુઓ સહિત પોલીસ દોડતી થઈ હતી. શિખરના મધ્યમાં… pic.twitter.com/3vXIMHdOqn
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. ખૂબ જ મહેનત બાદ યુવકને સુરક્ષિત રીતે શિખર પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.

ADVERTISEMENT
પોલીસે યુવક અંગે વધુ તપાસ હાથ ધરી છે અને તેની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. અંબાજી મંદિર જેવા ધાર્મિક સ્થળ પર આવી ઘટના બનતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, સાથે જ સુરક્ષા વ્યવસ્થાની કસોટી પણ થઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.