બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પલ્લવ ચાર રસ્તા પાસે DPS સ્કૂલ બસની અડફેટે એકનું મોત, બાળકોને ઘટના સ્થળે જ મૂકી ડ્રાઈવર-કંડક્ટરનું પલાયન
Last Updated: 03:49 PM, 10 July 2026
Ahmedabad DPS School Bus Accident : મેટ્રોસિટી અમદાવાદમાં ફરી એકવાર ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વાસ્તવમાં શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં પલ્લવ ચાર રસ્તા પાસે શુક્રવારે બપોરે ડીપીએસ (DPS) સ્કૂલની બસે ઇલેક્ટ્રિક મોપેડ પર જઈ રહેલા યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માત બાદ વિસ્તારમાં ભારે અરાજકતા ફેલાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા. આ તરફ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, અકસ્માત બાદ બસનો ડ્રાઇવર અને કંડકટર બસ તેમજ તેમાં બેઠેલા બાળકોને સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હતા.
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ બપોરે અંદાજે 2:15 વાગ્યે યુવક પોતાના મોપેડ પર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન સ્કૂલ બસ સાથે અકસ્માત સર્જાતા યુવક બસની નીચે આવી ગયો હતો, જેના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT
આ તરફ અકસ્માત બાદ બસનો ડ્રાઇવર અને કંડકટર બસ તેમજ તેમાં બેઠેલા બાળકોને સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ સ્થાનિક લોકોની મદદથી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.
આ પણ વાંચો : ના હોય..., અમદાવાદના કોટ વિસ્તારનાં મકાનો હવે રંગાશે ત્રણ રંગમાં, જાણો કેમ
ADVERTISEMENT
પોલીસે મૃતક યુવકની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને તેના પરિવારજનોનો સંપર્ક કરવાની તજવીજ શરૂ કરી છે. સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કોઈ બેદરકારી હતી કે નહીં તે સહિતના તમામ પાસાઓની તપાસ પોલીસે શરૂ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.