બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / શું E20થી કાર ખરાબ થઈ જશે? ગાડીની એવરેજ પર પડશે અસર? જાણો E20 વિશે વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબ
26 ફોટો ગેલેરી
Last Updated: 04:51 PM, 10 July 2026
1/26
ભારતમાં પર્યાવરણને બચાવવા અને કાચા તેલની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર ઝડપથી E20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) ના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. જો કે, સામાન્ય વાહન માલિકોના મનમાં આ નવા ઇંધણને લઈને અનેક પ્રકારના સવાલો અને આશંકાઓ સેવાઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી અફવાઓ પણ ફેલાઈ રહી છે, જેને દૂર કરવા માટે સરકારે એક વિગતવાર ફેક્ટશીટ અને માર્ગદર્શિકા બહાર પાડી છે. એક્સપર્ટ્સ અને સત્તાવાર ગાઇડલાઇન્સના આધારે, વાહનચાલકોના મનમાં ઉઠતા આવા જ 25 મહત્વના પ્રશ્નોના સરળ જવાબો અહીં આપવામાં આવ્યા છે:
2/26
3/26
4/26
જવાબ: ટેકનિકલ રીતે શુદ્ધ પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલની એનર્જી ડેન્સિટી થોડી ઓછી હોય છે. આ કારણે E20 પેટ્રોલના ઉપયોગથી માઇલેજમાં અંદાજે 6% થી 7% નો સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ સ્વીકાર્યું છે કે E20 થી માઇલેજ થોડું પ્રભાવિત થઈ શકે છે. જો કે, ઓટોમોબાઈલ કંપનીઓ હવે એવા એન્જિન (ફ્યુઅલ કેલિબ્રેશન) બનાવી રહી છે જે આ ઉણપને ઘણી હદ સુધી સરભર કરી દે છે.
5/26
જવાબ: હા, પ્રીમિયમ પેટ્રોલનો ઓક્ટેન નંબર વધારે હોય છે, જે હાઇ-પરફોર્મન્સ અને મોંઘી ગાડીઓ માટે બનાવવામાં આવે છે જેથી એન્જિનમાં 'નોકિંગ' (Knocking) ન થાય. જ્યારે E20 એ સામાન્ય પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રિત કરીને તૈયાર કરાય છે. જો કે, ઇથેનોલ ઉમેરવાથી પણ પેટ્રોલનો ઓક્ટેન રેટ કુદરતી રીતે સુધરે છે.
6/26
જવાબ: April 2023 પછી ભારતમાં બનતા મોટાભાગના નવા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો E20 કમ્પેટિબલ છે. કંપનીઓ હવે પોતાના વાહનો પર 'E20 Compliant' નું સ્ટિકર પણ લગાવે છે. વાહન ખરીદતા પહેલા તમે તેની યૂઝર મેન્યુઅલ બુકમાં આ બાબત ચકાસી શકો છો.
7/26
જવાબ: પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશના ખેડૂતોને આર્થિક ફાયદો પહોંચાડવા માટે સરકાર ઇથેનોલને ઊંચી કિંમતે ખરીદે છે. ઉદાહરણ તરીકે, મકાઈમાંથી બનતા ઇથેનોલની ખરીદ કિંમત ધીમે-ધીમે વધારીને આજે આશરે 71.86 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. આ કિંમતમાં GST, ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ અને ડેપો હેન્ડલિંગનો ખર્ચ અલગથી ઉમેરાય છે.
8/26
9/26
10/26
11/26
જવાબ: ટેકનિકલ રીતે અધિકૃત સર્વિસ સેન્ટર પર ફ્યુઅલ લાઇન્સ અને રબરના પુર્જાઓ બદલીને તેને થોડા અંશે અનુકૂળ બનાવી શકાય છે, પરંતુ આ પ્રક્રિયા ઘણી ખર્ચાળ હોઈ શકે છે. એક્સપર્ટ્સના મતે, જૂની ગાડીઓમાં સામાન્ય પેટ્રોલ અથવા E10 નો ઉપયોગ ચાલુ રાખવો જ હિતાવહ છે.
12/26
જવાબ: હા, શુદ્ધ પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ હવામાંથી ભેજ (પાણી) ને ઝડપથી સોષે છે. તેથી, જો વાહનને ઘણા મહિનાઓ સુધી સ્ટાર્ટ કર્યા વગર એમનેમ રાખવાનું હોય, તો ટાંકીમાં રહેલા E20 પેટ્રોલની ક્વોલિટી ઝડપથી પ્રભાવિત થઈ શકે છે. નિયમિત ચાલતા વાહનોમાં આ સમસ્યા નડતી નથી.
13/26
14/26
15/26
16/26
17/26
18/26
19/26
જવાબ: ખૂબ જ અતિશય ઠંડા પ્રદેશોમાં (જેમ કે પહાડી વિસ્તારો) હાઈ-ઇથેનોલ મિશ્રણના કારણે ક્યારેક કોલ્ડ-સ્ટાર્ટ (Cold-Start) ની સમસ્યા આવી શકે છે. જો કે, ભારતના હવામાનને ધ્યાનમાં રાખીને E20 ને એવી રીતે તૈયાર કરાય છે કે મેદાની વિસ્તારોમાં કોઈ તકલીફ ન પડે.
20/26
જવાબ: ગભરાવાની કોઈ જરૂર નથી. ફક્ત એક કે બે વાર ભૂલથી E20 પેટ્રોલ પુરાવવાથી એન્જિન તરત જ ખરાબ થઈ જતું નથી. જ્યારે તમે આગામી વખતે તેમાં સામાન્ય પેટ્રોલ પુરાવશો, ત્યારે તે મિક્સ થઈને ડાઇલ્યુટ (પાતળું) થઈ જશે.
21/26
જવાબ: ના, બંનેમાં મોટો તફાવત છે. E20 એન્જિન મહત્તમ 20% સુધીના ઇથેનોલ મિશ્રણ માટે જ બનેલા હોય છે. જ્યારે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન એવી રીતે ડિઝાઇન કરાય છે કે તે 20% થી લઈને 85% કે 100% સુધીના કોઈપણ ઇથેનોલ મિશ્રણ પર સરળતાથી ચાલી શકે છે.
22/26
23/26
24/26
25/26
જવાબ: સરકારનું લક્ષ્ય તબક્કાવાર રીતે દેશના ઇંધણ બેઝને પર્યાવરણ અનુકૂળ બનાવવાનું છે. જો કે, જ્યાં સુધી જૂની ગાડીઓ રસ્તા પર દોડી રહી છે, ત્યાં સુધી તેમના માટે યોગ્ય ઇંધણના વિકલ્પો બજારમાં ઉપલબ્ધ રાખવાના પ્રયાસો કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ