બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ઢોસા ખાધા બાદ 2 બાળકીના મોત,માતાપિતાની હાલત ગંભીર, તપાસનો ધમધમાટ
Last Updated: 05:54 PM, 6 April 2026
Ahmedabad Chandkheda News: અમદાવાદમાં તૈયાર ખીરૂથી ઢોસા બનાવીને ખાધા પછી બે બાળકીઓના મોત નીપજ્યા હોવાના આક્ષેપ સાથેની ઘટના સામે આવતા ચકચાર મચી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. ખીરાની ગુણવત્તા ચકાસવા માટે એફએસએલની ટીમ ઘનશ્યામ ડેરી પર પહોંચી હતી અને ખીરાના સેમ્પલ લીધા હતા.
ADVERTISEMENT
પ્રાપ્ત થતી વિગતો અનુસાર મેઘા સીટી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ડેરીમાંથી લાવવામાં આવેલા તૈયાર ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત લથડી હતી. આ ઘટનામાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બે માસૂમ બાળકીઓના મોત નિપજ્યાં હોવાનો આક્ષેપ કરાયા છે. જ્યારે તેમના માતા-પિતાની હાલત ગંભીર હોવાથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. ખીરાના સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ આ ઘટના પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે.
પ્રજાપતિ પરિવારે બે દિવસ પહેલા ચાંદખેડાના આઇઓસી રોડ પરની ઘનશ્યામ ડેરી પરથી ઢોસા બનાવવા માટે તૈયાર ખીરું મંગાવ્યું હતું. તે દિવસે સાંજે તેણે ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. આ ઘટનામાં સારવાર દરમિયાન 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રીનું મોત નીપજ્યું છે. જ્યારે માતા-પિતા ભાવના પ્રજાપતિ અને વિમલ પ્રજાપતિહાલ ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
ADVERTISEMENT
બીજી તરફ ઘનશ્યામ ડેરીના ડેરીના માલિક કેતન પટેલનું મીડિયા સમક્ષ એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે અમારી ડેરીમાંથી દરરોજ 100 થી 125 કિલો ખીરું વેચાય છે. જે લોટમાંથી આ પરિવારને ખીરું આપવામાં આવ્યું હતું, તે જ લોટમાંથી અમારા સંબંધીઓ અને અન્ય ગ્રાહકોને પણ ખીરું આપ્યું હતું, પરંતુ કોઈને પણ આવી કોઈ તકલીફ થઈ નથી. ખીરું અહીંયા જ ડેરીમાં જ બનાવવામાં આવે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતના 17 જિલ્લામાં ભારે વરસાદ, ગરમી પણ વધશે, હવામાન વિભાગની આગાહી
અન્ય માલિક વિપુલ પટેલે મીડિયાને જણાવ્યુ હતુ કે, મે તાત્કાલિક 1 એપ્રિલના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને તે દિવસે ખીરું ખરીદનારા અન્ય ગ્રાહકોને ફોન કરીને પૂછ્યું, પરંતુ કોઈને પણ કોઈ તકલીફ થઈ નહોતી. જો મારા ખીરામાં ખામી હોત, તો એ જ ડ્રમમાંથી ખીરું લેનારા અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝન થવાની શક્યતા હતી, પરંતુ એવું થયું નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.